________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લાગે છે. સામાન્ય શત્રુ નહીં, કટ્ટર શત્રુ લાગે છે. આપ એના પ્રત્યે સ્નેહ રાખો છો, એ આપના પ્રત્યે ઘોર દ્વેષ ધરાવે છે. આપ ન્યાય-નીતિનો વિચાર કરો છો. એ આપની સાથે અન્યાય-અનીતિથી વર્તે છે. આપ એના પ્રત્યે મૈત્રીભાવ રાખો છો, એ આપના પ્રત્યે શત્રુભાવ રાખે છે! જુઓ, આપે એને રાજા બનાવવાની વાત કરી, માણસો મોકલ્યા, પરંતુ એની બુદ્ધિ ભ્રષ્ટ થઈ છે. એ ના આવ્યો... માટે હવે એને ભૂલી જાઓ અને આપ જ રાજસિંહાસન પર બેસો અને રાજ્ય કરો.”
કુમારે કહ્યું: “મંત્રી, પિતાજી વિના અને વિણકુમાર વિના રાજ્ય કરવાની શી મજા આવે? શો લાભ થાય?'
મંત્રીએ કહ્યું: “પ્રજાની અને રાજ્યની રક્ષા થશે. મહાપુરુષોએ પ્રજાનું રક્ષણ કરવું જોઈએ.” કુમારે કહ્યું: “હે આર્ય, પ્રજા તો એના પોતાના પુણ્યથી જ રક્ષાયેલી છે!'
મંત્રીએ થોડા નારાજ થઈને કહ્યું: ‘તો આ રાજાઓની પરંપરા બરાબર નથી? પ્રજાને રાજાની જરૂર નથી? કોઈ નેતાની જરૂર નથી?
મંત્રી, પ્રજા પોતાનો નેતા પસંદ કરી લેશે. મારી ઈચ્છા રાજા બનવાની નથી.”
તો તો મારે પ્રધાનમંડળને ભેગું કરવું પડશે. નગરશ્રેષ્ઠીઓને પણ બોલાવવા પડશે. કંઈક તો કરવું પડશે ને?' તમે સહુ વિચાર કર.” કુમારે રાજા બનવાની પોતાની સાફ નામરજી દેખાડી.
૦ ૦ ૦ નષ્ટશોક” નામના ઉદ્યાનના માળીએ આવીને, સેનકુમારને સમાચાર આપ્યા: મહારાજ કુમાર, આજે નષ્ટશોક ઉદ્યાનમાં આચાર્યશ્રી હરિણ, અનેક સાધુઓ સાથે પધાર્યા છે' કુમાર હર્ષિત થયો. તેણે ઉદ્યાનપાલકને પોતાના ગળામાંથી હાર કાઢીને આપ્યો.
અમરગુરુને કહ્યું: “હે આર્ય, વાદળ વિના અમૃતવૃષ્ટિ થાય તો કેવો આનંદ થાય?' તેમ પિતાજી-મહર્ષિનું અચાનક અહીં આગમન થયું છે. મારા હર્ષનો પાર
નથી.”
અમરગુરુએ કહ્યું: “મહારાજકુમાર, આપ ધન્ય છો. આપ ખરેખર કલ્યાણના નિધાન છો!' - કુમારે કહ્યું: ‘તૈયારી કરો. આપણે આચાર્ય ભગવંતને વંદન કરવા જોઈએ. તેઓનો ઉપદેશ સાંભળીને, આ જીવનને સફળ કરીએ.'
અમરગુરુએ કહ્યું: ‘નગરમાં પણ ઘોષણા કરાવી દઉં. જેથી જનતા, એમના પ્રિય ૧૧૦
ભાગ-૩ + ભવ સાતમો
For Private And Personal Use Only