SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra ‘એ અહીં અંતઃપુરમાં રહેશે.' જેવી આપની આજ્ઞા.’ www.kobatirth.org એક બાજુ અમરગુરુએ સેના ઉપર ધ્યાન આપવા માંડ્યું. ૨૫ હજાર ઘોડેસવારો, અને ૨૫ હજાર પાયદળ સૈન્ય પૂરતું હતું. પલ્લીપતિ આવી ગયો હતો. પલ્લીપતિને પાયદળ-સેનાનો સેનાપતિ બનાવી દીધો. અશ્વદળનો સેનાપતિ કુમાર પોતે બન્યો. સંધ્યાસમયે પ્રયાણ કરવાનું હતું. કુમાર શાન્તિમતી પાસે ગયો. ચંપાની સમગ્ર પરિસ્થિતિની વાત કરી. શત્રુરાજાને પરાજિત કરી, ચંપાને સ્વાધીન કરવાની વાત કરી. પછી જ્યાં વિષેણને પુનઃ રાજસિંહાસન પર બેસાડવાની વાત કરી, ત્યાં શાન્તિમતીએ નિષેધ કર્યો. Acharya Shri Kailassagarsuri Gyanmandir ‘નાથ, જો એનામાં રાજ્યને સાચવવાની તાકાત હોત તો એ ભાગી ના જાત. જો એને ચંપાની પ્રજા પ્રત્યે પ્રેમ હોત તો એ લડતાં લડતાં પ્રાણાર્પણ ક૨વાનુ પસંદ કરત, પરંતુ આ રીતે ભાગી જવાનું કાયરતાપૂર્ણ કામ ના કરત, માટે વિષેણને તો બોલાવશો જ નહીં.' ‘તને તો બોલ:વવી પડશે!' ‘ના, હું સાથે જ આવું છું.’ ‘નાના રાજકુમાર સાથે આ પરિસ્થિતિમાં તારાથી ના આવી શકાય. તું અંતઃપુરમાં રહેજે. મહારાજાએ પોતે જ ગોઠવણ કરી દીધી છે.' શ્રી સમરાદિત્ય મહાકથા ‘ભલે, પણ વિજય મેળવીને, તરત જ મને બોલાવી લેશો. 1 શાન્તિમતીએ કુમારને માથે વિજયતિલક કર્યું. યુદ્ધનાં વાજિંત્રો વાગી ઊઠ્યાં. મહારાજાનાં ચરણે પ્રણામ કરી, કુમારે પ્રયાણ કર્યું. For Private And Personal Use Only ૧૧૧૫
SR No.008952
Book TitleSamaraditya Mahakatha Part 3
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2007
Total Pages491
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy