SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra બંનેનાં મૃત્યું થયાં. ‘કિન્નર’ નામનાં દેવ થયાં. www.kobatirth.org ‘પ્રિયમિત્ર' ‘આનંદદેવ’ થયો. નીલુકા ‘નિવૃત્તિદેવી’ થઈ. દેવોને ‘અવધિજ્ઞાન' હોય, આનંદદેવે અવધિજ્ઞાનના પ્રકાશમાં જોયું કે, ‘અમે બંને ક્યાંથી મરીને, અહીં દેવ-દેવી થયાં...' Acharya Shri Kailassagarsuri Gyanmandir વિશાખાવર્ધન નગરનું તપોવન જોયું. ત્યાં એમના તપસ્વી શરીરોને બાળી નાખવામાં આવ્યા હતાં. જે અશોકવૃક્ષની નીચે તેમણે બેસીને, અનશન કર્યું હતું, તે અશોકવૃક્ષની નજીક એક સુંદર દેવકુલિકા બનાવી. તેમાં આનંદદેવ અને નિવૃત્તિદેવીની સ્થાપના કરી. બંને ખૂબ ખુશ થયાં. ત્યાંથી તે બંને નંદનવનમાં ગયાં. ત્યાં નંદનવનમાં તેમણે એક વિદ્યાધર-સ્ત્રીને બેબાકળી બનીને ભટકતી જોઈ. આનંદદેવે એને પૂછ્યું: ‘હે સુંદરી, તું કોણ છે? અહીં બાવરી બનીને કેમ ભટકી રહી છે?’ વિદ્યાધર-સ્ત્રીએ કહ્યું: ‘હું મહાપુરુષ, મારું નામ મદનમંજુલા છે. હું વિદ્યાધર પત્ની છું. હું વિદ્યાદેવીની સાધના કરતી હતી, પરંતુ એ સાધના દરમિયાન, મારા પતિ ઉપરના ગાઢ અનુરાગથી પ્રેરાઈને, મેં બ્રહ્મચર્યનો ભંગ કર્યો. તેથી વિદ્યાદેવીએ મને શાપ આપ્યો: ‘હે દુરાચારી, તેં જે પાપ કર્યું છે, એના ફળરૂપે તને તારા પતિનો છ મહિના સુધી વિયોગ રહેશે.' ખરેખર મને પતિવિયોગ થયો. મારું મન ઉદ્વેગથી ભરાઈ ગયું. મારા શ્વાસ ઊંચા થઈ ગયા. હું ભટકવા લાગી. મેં વિદ્યાદેવીનાં ચરણોમાં પડીને પ્રાર્થના કરીઃ હું કૃપાળુ દેવી, મેં અભાગણીએ ખોટું કામ કર્યું. આપનો પ્રકોપ પણ જોયો. હવે મારા પર કૃપા કરો. મારા અપરાધોને ક્ષમા આપો.' પુનઃ પુનઃ હું દેવીનાં ચરણોમાં પડી. છેવટે વિદ્યાદેવીએ મારા પર અનુગ્રહ કર્યો. તેમણે મને કહ્યું: ‘હે વત્સ, અનુરાગવાળું હૈયું ભવિષ્યનો વિચાર કરતું નથી. તેં ખોટું કામ કર્યું છે, તો પણ તારી મારા પ્રત્યેની શ્રદ્ધા જોઈને અનુગ્રહ કરું છું.’ વિદ્યાદેવીએ કહ્યું: ૧૦:૪ ‘તું નંદનવનમાં જા. ત્યાં એક જગ્યાએ ‘પ્રિયમેલક' નામનું વૃક્ષ છે. એ વૃક્ષ પુષ્પજોડીથી યુક્ત છે. એ પુષ્પ-જોડીને લીલીછમ પાંદડાવાળી માધવી લતા વીંટળાયેલી છે. તું એ ‘પ્રિયમેલક’ વૃક્ષની નીચે જઈને રહે. તારા પતિનો ત્યાં તને મેળાપ થશે.' વિદ્યાધરીએ કહ્યું: ‘વિદ્યાદેવીના કહેવાથી હું અહીં આવી છું. હું ક્યારનીય પેલા ‘પ્રિયમેલક’ વૃક્ષને શોધું છું. પણ મને એ વૃક્ષ દેખાતું નથી! એ વૃક્ષને જોવા બાવરી બની ગઈ છું. For Private And Personal Use Only ભાગ-૩ * ભવ સાતમો
SR No.008952
Book TitleSamaraditya Mahakatha Part 3
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2007
Total Pages491
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy