SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઓળખ્યો. જોકે થોડાં વર્ષો પછી નાગદેવ “વિશાખાવધન' માં આવતો હતો. તેને આનંદ થયો પ્રિય મિત્રને મળીને. તેણે પ્રિયમિત્રને પૂછ્યું : “વત્સ, આ શું? તારાં વસ્ત્રો ફાટેલાં છે. તારું મુખ સુકાયેલું છે. જાણે દરિદ્રતાએ તને ઘેરી લીધો હોય. આવું શાથી બન્યું? હે તપસ્વી, મારા દુર્ભાગ્યનો ઉદય! પિતાજીની દરિદ્રતા મને વારસામાં મળી.” વત્સ, તારા પિતાજી વસુંધર કુશળ છે ને?' તેઓ સ્વર્ગવાસી થયા છે, એમ બધા કહે છે. સ્વર્ગમાં તેઓ કુશળ જ હશે! અકુશળ તો હું છું. તેઓ દરિદ્રતાથી વિલંબિત થયા અને મૃત્યુ પામ્યા.' અહો, વસુંધરશેઠ મૃત્યુ પામ્યા? એમની ઉદારતાથી તેઓ બીજા મનુષ્યોના પ્રિય હતા. તેઓ સ્વજનવલ્લભ હતા. નગરજનોને પ્રિય હતા.' હે મહાપુરુષ જ્યાં સુધી એમની પાસે ધન હતું, સંપત્તિ હતી, ત્યાં સુધી લોકોને એ ગમતા હતા! ચંચળ લક્ષ્મી જતી રહી. એની સાથે પ્રેમ... દોસ્તી.... સ્નેહ .. બધું જ ચાલ્યું ગયું.' નાગદેવે કહ્યું: “વત્સ, આ જ સંસારની ભયાનકતા છે અને મૃત્યુની નિરપેક્ષતા છે. સંસાર ખરેખર, આવાં દ્વન્ડોથી ભરેલો છે. સંપત્તિ-વિપત્તિ, માન-અપમાન, રાગ-દ્વેષ, રતિ-અરતિ... વગેરે અસંખ્ય ધંધોથી ભરેલો છે આ સંસાર! અને દેવો તથા અસુરો પણ જેનો વિરોધ નથી કરી શકતા, રોકી નથી શકતા, એવું મૃત્યુ છે! મૃત્યુ એના નિશ્ચિત્ત સમયે આવે જ છે! મૃત્યુ પર વિજય મેળવવાનો એક જ ઉપાય છેઃ ધર્મનો! ધર્મને આત્મસાત્ કરી, અસંખ્ય જીવો અજરામર બન્યા છે, અને આજે પણ બની રહ્યા છે. માટે હે વત્સ, તું ધર્મનું શરણ લે. વિવેક અને ઉત્સાહથી ધર્મપુરુષાર્થ કર. જેનામાં વિવેક છે અને ઉત્સાહ છે, તેમના માટે કંઈ જ અશક્ય નથી. એક વાત તું સમજી લે કે આ સંસાર સ્વભાવથી નિર્ગણી છે. આવા નિર્ગુણી સંસારમાં પારલૌકિક સાધના કરી લેવી, એ જ હિતકારી છે.” પ્રિયમિત્રે પૂછ્યું: “શું હું ધર્મ કરવા માટે યોગ્ય છે? જો હું યોગ્ય હોઉં તો મારે કેવી ધર્મ-આરાધના કરવી, તે સમજાવો. હું ધર્મના વિષયમાં સંપૂર્ણ અજ્ઞાની છું.” નાગદેવે કહ્યું: “હે ભદ્ર, તું ધર્મ કરવા સર્વથા યોગ્ય છે અને આ મારા જેવો સંન્યાસ લેવો, એ જ તારા માટે ઉચિત છે. સંન્યાસથી ધર્મ-આરાધના તું કરી શકે છે. અને તું મારી પાસે રહીશ, એટલે હું તને ધર્મનું જ્ઞાન આપતો રહીશ.” તો કૃપા કરીને મને થોડા દિવસ તમારો સંન્યાસ ધર્મ સમજાવો. પછી હું ધર્મનો સ્વીકાર કરું!” ૧૦૮૮ ભાગ-૩ સ ભવ સાતમો For Private And Personal Use Only
SR No.008952
Book TitleSamaraditya Mahakatha Part 3
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2007
Total Pages491
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy