SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir માધ્યમથી જીવનમાં ઘટિત થતાં સારા નરસા પ્રસંગોની પાછળ પોતેજ બાંધેલ કર્મોના વિજ્ઞાનનું રહસ્ય હુબહુ સ્પષ્ટ કર્યું છે. આ પુસ્તકના અધ્યયન મનન અને ચિંતન કરવાથી વ્યક્તિના ક્રોધ, માન, માયા અને લોભ આ કષાયો મંદ પડે છે અને તે સમભાવ તરફ લાયિત થાય છે. કાદંબરીની જેમ આ મહાકથામાં પણ અનેક ઉપકથાઓ ગૂંથેલી છે જે તત્વબોધ કરાવનારી છે. મૂલ ગ્રંથ પ્રાકૃત ભાષામાં છે. પૂજ્ય શ્રી ભદ્રગુપ્તસૂરિજીએ એની ગંભીરતાને યથાવત્ જાળવીને બધા રસોનો પુટ આપીને સરળ ગુજરાતીમાં આલેખન કર્યું છે. જે ભવ્યજીવો માટે ઉપકારક છે વાચકવર્ગ આ કથાના આલંબનથી કષાય નિવૃત્તિ દ્વારા આત્મશોધનનો માર્ગ પ્રશસ્ત કરવાનો સુબોધ પ્રાપ્ત કરી શકશે. શેઠ શ્રી સંવેગભાઈ લાલભાઈના સૌજન્યથી આ ત્રણે ભાગોના પ્રકાશન માટે શેઠ શ્રી નિરંજન નરોત્તમભાઈના સ્મરણાર્થે હ. શેઠ શ્રી નરોત્તમભાઈ લાલભાઈ પરિવાર તરફથી જે ઉદાર આર્થિક સહયોગ પ્રાપ્ત થયો છે એ બદલ અમો સમગ્ર શેઠશ્રી નરોત્તમભાઈ લાલભાઈ પરિવારના ઋણી છીએ તથા તેઓની હાર્દિક અનુમોદના કરીએ છીએ. આશા છે કે ભવિષ્યમાં પણ તેઓશ્રી તરફથી આવો જ ઉદાર સહયોગ મળતો રહેશે. આ મહાકથાના પુનઃ પ્રકાશનના અવસરે પ્રાથમિક સ્તરે ઉલ્લાસભેર મૂરિડીંગ કરી આપનાર શ્રી દર્શનાબેન, શ્રી ઉષાબેન સંસ્થાના પંડિતવર્ય શ્રી નવીનભાઈ જૈન તથા ફાઈનલ પ્રૂફ કરી આપવામાં સંસ્થાના પંડિતવર્ય શ્રી મનોજભાઈ જૈનનો તથા સંસ્થાના કમ્પ્યૂટર વિભાગમાં કાર્યરત શ્રી કેતનભાઈ શાહ તથા શ્રી સંજયભાઈ ગુર્જરનો આ પુસ્તકના સુંદર કમ્પોઝીંગ તથા સેટીંગ કરી આપવા બદલ અમે હૃદય પૂર્વક આભાર માનીએ છીએ. આપને અમારો નમ્ર અનુરોધ છે કે તમારા મિત્રો અને સ્વજનોમાં આ પ્રેરણાદાયી સાહિત્યની પ્રભાવના કરો. શ્રુતજ્ઞાનના પ્રચાર-પ્રસાર માટે અપાયેલું નાનકડુ યોગદાન આપને લાભદાયક થશે. અન્ને પ્રસ્તુત પુસ્તક આપની જીવનયાત્રાનો માર્ગ પ્રશસ્ત કરવામાં નિમિત્ત બને અને વિષમતાઓમાં સમરસતાનો લાભ કરાવે એવી શુભ કામના સાથે. પુનઃ પ્રકાશન વખતે ગ્રંથકારશ્રી ના આશય તથા જિનાજ્ઞા વિરુદ્ધની કાંઈ ક્ષતિ રહી ગઈ હોય તો મિચ્છામિ દુક્કડમ્. અષાઢ વદ દશમી, ૨૦૬૩ ટ્રસ્ટીગણ શ્રી મહાવીર જેન આરાધના કેન્દ્ર For Private And Personal Use Only
SR No.008950
Book TitleSamaraditya Mahakatha Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2007
Total Pages523
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy