________________
וד
૭૪
વિરાગની મસ્તી
સિદ્ધાર્થે કહ્યું, ‘“પ્રભો! ભગવાન બુદ્ધે જે વાત કરી કે, “બધું ક્ષણિક છે, પળે પળે નાશવંત છે,’ એ વાત જગતના પદાર્થોથી વિરાગ કેળવવા માટે જ કરી હશે ને? અહો! ત્યારે તો તેમનો સિદ્ધાંત પણ આ રીતે સાચા સુખના માર્ગે જ લઈ જનારો બને છે કેમ ?
ત્યાં તો કપિલ પણ બોલી ઊઠ્યો, “અને ગુરુદેવ! સાંખ્યધર્મમાં પણ જે કહ્યું છે કે, ‘આત્મા તો સચ્ચિદાનંદ સ્વરૂપ છે. આ બધી જડ પ્રકૃતિની માયા છે, એમાં આત્માને કશું ય લાગતુંવળગતું નથી.' એ પણ માયાથી વિરાગી બનવા માટે જ કહ્યું ને? વાહ, ત્યારે તો સાંખ્ય પણ સુખની દિશામાં ચાલ્યા કહેવાય કેમ?''
વળી શંકર પણ બોલી ઊઠ્યો, ‘“વેદાન્તમાં ય ‘બધાનો આત્મા એક જ છે’ એમ જે કહ્યું છે તે પરસ્પરનો સમભાવ કેળવવા માટે જ ને ? સમભાવ એટલે રાગ-રોષ વિનાનો ભાવ. આ રીતે તો વેદાન્તી પણ વિરાગી બનવાની જ વાત કરે છે!’’
એટલામાં જિનદાસ પણ બોલ્યો, “ગુરુદેવ, જિનેશ્વર ભગવાને પણ આ જ
વાત કહી છે. માણસ ત્યાગી ન હોય તે બને પણ તે વિરાગી તો હોવો જ જોઈએ. તે વિના તેને સુખ મળે જ નહિ.''
ત્યાં તો ગૌતમ બોલી ઊઠ્યો, “ગુરુદેવ! ગુરુદેવ! ન્યાય વૈશેષિક દર્શનમાં ય કહ્યું છે કે, ‘રાગાદિનો નાશ થયા વિના પરમ સુખ મળી શકે જ નહિ અને એ રાગાદિનો નાશ મિથ્યાજ્ઞાનના નાશથી થાય છે. માટે બધાએ તત્ત્વજ્ઞાન મેળવીને રાગાદિનો નાશ કરવો.’’
ગુરુદેવ બોલ્યા, “જોયું ને, મોક્ષને માનતા દર્શનો સુખ માટે તો એક જ વાત કરે છે કે વિરાગી બનવું. સંસારના પદાર્થોમાં મોહાઈ ન જવું. એના ગુલામ ન બનવું. એની પાછળ માનવજીવનની ઉત્તમોત્તમ પળોને બરબાદ ન કરવી. એટલે હવે એ વાત તો નક્કી થઈ જાય છે ને કે સંસારના તીવ્ર રાગોને આ વાત ન ગમતી હોય તોય એમની દયા ચિંતવીને આપણા સુખ માટે આપણે વિરાગની વાતો સાંભળીને વિરાગની કલ્પલતાનું બીજ આપણા જીવન ખેતરમાં વાવી દેવું જોઈએ ? એ બીજને જલાદિનું સિંચન વગેરે કરીને વિકસાવવું પણ જોઈએ ?''
બધા બોલી ઊઠ્યા, “જરૂર જરૂર ગુરુદેવ! બીજાને એ વાત ન ગમે તેથી શું આપણે ય ન કરવી? સંગ્રહણીના રોગીને દૂધ જોવું ય ન ગમે એટલે આપણે પણ ન જોવું ? કમળાના દોષવાળાને દુનિયા પીળી દેખાય એટલે આપણને ધોળી દેખાતી હોય તો શું આંખો બંધ કરી દેવી? ના. ના. ગુરુદેવ, આ તો છે અમારા જીવનનો