SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ મહારાજ સાહેબ, એક કલ્પના પણ ન કરી શકાય એવી મૂંઝવણમાંથી હું પસાર થઈ રહ્યો છું. અત્યાર સુધી હું એમ સમજતો હતો કે કોઈ પણ વ્યક્તિના જીવનમાં આપણે ડોકિયું કરીએ અને જો એ વ્યક્તિ અંગે મિથ્યાદર્શન કરીએ તો એ વ્યક્તિને તો આપણે અન્યાય કરી જ બેસીએ પણ સાથોસાથ આપણે અપ્રિય પણ બન્યા રહીએ. પણ, દુઃખ સાથે કહેવા દો મને કે વ્યક્તિ અંગેના સત્યદર્શનમાં ય મારી હાલત કફોડી થઈ ગઈ છે. વ્યક્તિઓ સાથે મારે ક્લેશ પણ થતો રહે છે તો મારું મન સંક્લેશનું શિકાર પણ બનતું રહે છે. હું આપને જ પૂછું છું, ક્ષમાવાનમાં આપણે કોધીનાં દર્શન ન કરીએ એ તો બરાબર છે પણ ક્રોધીમાં ક્રોધીનાં દર્શન કરતા રહીએ એ પણ શું ગુનો છે? આયુષ્ય, મનની એક નબળી કડી તારા ખ્યાલમાં છે? એને સત્યદર્શનમાં રસ જરૂર છે; પરંતુ હકીકત એ છે કે વ્યક્તિઓ સાથેના સંબંધમાં તમે જો આત્મીયતા જાળવી રાખવા માગો છો તો તમારે અંતઃકરણને કે જેને સ્નેહદર્શનમાં રસ છે એને કામે લગાડવું પડે છે. પહે
SR No.008946
Book TitleVandaniya Sangharsh
Original Sutra AuthorN/A
AuthorRatnasundarsuri
PublisherRatnasundarsuriji
Publication Year
Total Pages102
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size159 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy