________________
મહારાજ સાહેબ,
હમણાં હમણાં હું માનસિક સ્તરે ભારે હતાશા અનુભવી રહ્યો છું. કારણ કે ક્ષેત્ર ચાહે સંપત્તિ પ્રાપ્તિનું છે કે સામગ્રી પ્રાપ્તિનું, સફળતા પ્રાપ્તિનું છે કે પ્રતિષ્ઠા પ્રાપ્તિનું છે, પ્રચંડ પુરુષાર્થ છતાં હું બધે માર જ ખાઈ રહ્યો છું.
અલબત્ત, સફળતામાં પ્રસન્ન રહી શકતો હું, નિષ્ફળતામાં યસ્વસ્થ રહી જ શકુ છું; પરંતુ નિષ્ફળતાઓના સાતત્ય મારી સ્વસ્થતાને ખંડિત કરી નાખી છે. ક્યારેક ક્યારેક તો જીવન ટૂંકાવી દેવાના વિચારો પણ મનને ઘેરી વળે છે. આપ કોઈ એવું સમાધાન આપી શકો ખરા કે “પ્રાપ્તિના મારા પુરુષાર્થને સફળતા મળીને જ રહે !
વિનય,
પહેલી વાત તો એ છે કે માથાના દુઃખાવાના ઈલાજ માટે તું કોક વકીલ પાસે પહોંચી જાય અને તું જેવો હાસ્યાસ્પદ બને, એવી જ હાસ્યાસ્પદ સ્થિતિ તેં પ્રાપ્તિના પુરષાર્થને સફળ બનાવવાનું માર્ગદર્શન મારી પાસે માગીને તારી પોતાની કરી છે.
સંપત્તિ, સામગ્રી, સફળતા અને પ્રતિષ્ઠા એ તમામનું મૂલ્ય તારે મન કદાચ કરોડોનું હશે, મારે મન એનું મૂલ્ય