SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ એના કરતાં વિપરીત ગ્રુપનું લોહી તારા શરીરમાં દાખલ થાય તો તારું સ્વાથ્ય કથળેલું હોય તો સુધરી જાય કે પછી સુધરેલું હોય તો ય કથળી જાય? તારો સ્પષ્ટ જવાબ આ જ હશે કે સ્વાથ્ય કથળી જ જાય. બસ, તેં પુછાયેલ પ્રશ્નનો જવાબ આ જ છે. તે પોતે છે ચૈતન્ય સ્વરૂપ અને તું જે પદાર્થો પાછળ ભાગી રહ્યો છે એ પદાર્થો છે જડસ્વરૂપ. શરીરમાં લોહી જો સમાન ગ્રુપનું હોય તો જ સ્વાથ્ય જળવાય. જ્ઞાનસ્વરૂપ આત્મા જો જ્ઞાનાદિ ગુણો સાથે અથવા તો એ ગુણોના ધારક પ્રત્યે દોસ્તી કેળવે તો જ એની સ્વસ્થતા જળવાય. બાકી, યાદ રાખજે આ વાત કે પદાર્થોના - વિપુલ પદાર્થોના માલિક બન્યા રહેવાના અરમાનમાં જો મન રમતું હોય છે તો પ્રભુના સેવક બન્યા રહેવાના અરમાનમાં અંતઃકરણ રમતું હોય છે. તું સાચે જ જો પ્રસન્નતા અનુભવવા માગે છે તો માલિક બનવાના ધખારા છોડી દઈને સેવક બની જવા તત્પર બની જા. તારું કામ થઈ જશે.
SR No.008946
Book TitleVandaniya Sangharsh
Original Sutra AuthorN/A
AuthorRatnasundarsuri
PublisherRatnasundarsuriji
Publication Year
Total Pages102
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size159 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy