SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ સત્કાર, તારા પ્રશ્નનો જવાબ હું આપું એ પહેલાં મારા એક પ્રશ્નનો જવાબ તું આપ. તારા ઘરને કદાચ આગ લાગી જાય અને એ વખતે એ આગને ઠારવા તે જેને અધિકાર આપ્યો હોય, આમંત્રણ આપ્યું હોય એવા લોકો આવે તો જ તું એમને આગ ઠારવા સંમતિ આપે કે પછી કોઈ પણ વ્યક્તિને આગ ઠારવા સંમતિ આપી દે ? એક બાજુ તું પોતે કબૂલ કરે છે કે મારા જીવનમાં કમજોરીઓ છે જ, વ્યસનોએ પણ મારા જીવનમાં પ્રવેશ કરી જ દીધો છે તો પછી એને દૂર કરવા કોઈ પણ વ્યક્તિ તને સલાહ આપતી હોય, એમાં તું અકળાઈ શેનો જાય છે ? યાદ રાખજે આ વાત કે મનને સંભળાવતા રહેવામાં રસ છે, જ્યારે અંતઃકરણને સાંભળતા રહેવામાં રસ છે. તું જો તારા જીવનને બચાવી લેવામાં રસ ધરાવે છે તો અંતઃકરણને કામે લગાડતો જા. ફાવી જઈશ. ૨૪
SR No.008946
Book TitleVandaniya Sangharsh
Original Sutra AuthorN/A
AuthorRatnasundarsuri
PublisherRatnasundarsuriji
Publication Year
Total Pages102
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size159 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy