SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ જવાબ આપ. સ્કૂલ-કૉલેજમાં કાયમ પ્રથમ નંબર જ લાવતો વિદ્યાર્થી વધુ સ્વસ્થ હોય છે કે પછી કાયમ પંદર-વીસમા નંબરે રહેતો વિદ્યાર્થી વધુ પ્રસન્ન હોય છે? તારે કહેવું જ પડશે કે પ્રથમ નંબરે રહેતા વિદ્યાર્થી કરતાં પંદર-વીસમા નંબરમાં રહેતો વિદ્યાર્થી વધુ પ્રસન્ન હોય છે. ભૂલીશ નહીં તું આ વાત કે વિશિષ્ટ બન્યા રહેવાના તારા આ ધખારા તો મનની દેન છે, બાકી અંતઃકરણ તો વિશુદ્ધ બન્યા રહેવાની ઝંખનામાં જ રમતું હોય છે. તને એટલું જ કહીશ કે વિશુદ્ધ બન્યા રહેવાના પ્રયત્નોમાં કોઈ પણ જાતની બાંધછોડ કર્યા વિના તું વિશિષ્ટ બની જતો હોય તો ખુશીથી બની જજે. કારણ કે એ વિશિષ્ટતા તારી વિશુદ્ધિમાં લેશ બાધક નહીં બને !
SR No.008946
Book TitleVandaniya Sangharsh
Original Sutra AuthorN/A
AuthorRatnasundarsuri
PublisherRatnasundarsuriji
Publication Year
Total Pages102
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size159 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy