________________
લાભ અને હાનિ વચ્ચેનો સંઘર્ષ શક્ય એટલો વહેલો સમાપ્ત થઈ જવો જોઈએ, જય અને પરાજય વચ્ચેનો સંઘર્ષ પણ જેટલો વહેલો સમાપ્ત થઈ જાય એટલું જગતના હિતમાં છે, પણ પતનપ્રેમી મન અને ઉત્થાનપ્રેમી અંતઃકરણ વચ્ચેનો સંઘર્ષ તો જીવનભર ચાલુ રહેવો જોઈએ. કારણ કે એ સંઘર્ષમાં જ આત્મકલ્યાણનાં બીજ ધરબાયેલાં છે. કેવો છે એ સંઘર્ષ? આ પુસ્તક હાથમાં લો. સંખ્યાબંધ યુક્તિઓ જાણવા મળશે. વંદનીય સંઘર્ષ