________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૨૩૨
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વાણી મારા વીરની ઉદાત્ત ને ઉદાર સરળ, ગંભીર ને અર્થ કહે વિસ્તાર, મેઘ જિમ ગંભીર
મધુ જિમ મધુર
માલકૌંસમાં વદે વીર એ શિષ્ટ અને રસાળ, સંદેહ નહીં, વિભ્રમ નહીં, કરુણાની રસધાર વૈવિધ્યની પૂર્ણતા દોષોની અપૂર્ણતા
સાહસથી તે સત્ય પ્રકાશે, પ્રસંગને અનુરૂપ સ્પષ્ટ કથન કરવા છતાં કો નહીં શત્રુરૂપ સામે સાચું રૂપ ત્રણ બાજુ પ્રતિરૂપ
ચાર દિશામાં સમાન રૂપે દેખાતા એકરૂપ નિરાકરણ કરે સહુ પ્રશ્નોના તે તેને અનુરૂપ વિસ્તાર નહીં, વિષયાન્તર નહીં,
કરે નહીં પોતાની પ્રશંસા અને નહીં પરનિંદા પૂર્વાપર વિરોધ નહીં, દેવો કરતા જયનંદા! શબ્દો થોડા, અર્થ મહાન વિસ્તરે એક યોજન માન
ન કોઈનો મર્મ હણે પ્રેમ એમના કણે કણે હિંસક ને અહિંસક જીવો બેસે છે કનેકને આવી મારા જિનની વાણી
એ તો લાગી અમી સમાણી.
હે મહાશ્રાવક! હું જે કોઈ દેવોનો અસ્વીકાર કરું છું, ઉપેક્ષા કરું છું, મોં ફેરવી લઉં છું., એ મારો અવગુણ નથી એમ હું માનું છું. હકીકતમાં હું કોઈની અવગણના નથી કરતી, ઘૃણા નથી કરતી. હું કોઈના દિલને ઠેસ પહોંચે એવું પણ નથી કરતી. કોઈનો પણ તિરસ્કાર ક૨વાની પ્રભુએ ના પાડી છે...પરંતુ બધાનો સ્વીકાર કરવાની પણ ના પાડી છે. હું બને ત્યાં સુધી બીજા મતના દેવો કે ગુરુઓની ટીકા-આલોચનાથી પર રહું છું.
સુલસા
For Private And Personal Use Only