________________
લોકશાહીમાં બહમતી “કડવી’ વાસ્તવિકતા છે
- અરૂણ શૌરી હિન્દુસ્તાન : તા. ૫/૬/૦૭
ગાંડાઓની હૉસ્પિટલમાં ગાંડાઓની દવા બહુમતીના આધારે કરવામાં નથી જ આવતી. ઘરમાં શાક કયું બનાવવું, એનો નિર્ણય પરિવારમાં બહુમતીના આધારે નથી જ લેવામાં આવતો. મકાન બનાવવામાં ઈટચૂનો-સિમેન્ટ-પાણી કેટલા વાપરવા, એનો નિર્ણય ઍન્જિનિયર-કડિયાઓના સમૂહ વચ્ચે બહુમતીના આધારે લેવામાં નથી જ આવતો; પરંતુ આ વિરાટ દેશના પ્રજાજનોનાં સુખ અને હિત માટે શું કરવું, એનો અધિકાર કોના હાથમાં સોંપવો, એનો નિર્ણય બહુમતીના આધારે જ કરવામાં આવે છે. કરુણતા છે ને? વિનોબાજીએ એક જગાએ લખ્યું હતું કે ૪૯ જણાને કેળાં ખાવા હોય પણ ૫૧ જણાને સફરજન ખાવા હોય તો સોએ સો જણાને સફરજન જ ખાવા માટે મજબૂર કરવામાં આવે એનું નામ લોકશાહી !
૧૦૦માંથી ૬૦ જણા મતદાન કરે. એમાં ૩૫ મતથી જે જીતી જાય એ વિજેતા ઉમેદવાર જાહેર થાય અને એ વિજેતા ઉમેદવાર ૧૦૦ જણા ઉપર રાજ કરે આ છે લોકશાહીમાં બહુમતીની “કડવી’ વાસ્તવિકતા !
૫૪