________________
બિનજરૂરી સમાચારોથી બચો દૈનિક ભાસ્કર : તા. ૪/૬/૦૭
સમાચારપત્ર, મેગેઝીન સાપ્તાહિક, પાક્ષિક કે
માસિક વાંચનાર વાચકો જો નક્કી કરે કે
અમારે બિનજરૂરી કશું જ વાંચવું નથી. રેડિયો, ટી.વી. વગેરે પર
સમાચાર સાંભળી રહેલ શ્રોતાઓ જે નક્કી કરે કે
અમારે બિનજરૂરી કશું જ સાંભળવું નથી
અને
ટી.વી., કેબલ,
ચેનલ જનાર દર્શકો નક્કી કરે કે
અમારે બિનજરૂરી કશું જ જોયું નથી
તો કદાચ બને એવું કે
માંગવા લાયક.
સાંભળવા લાયક અને
જોવા લાયક કશું ય બચે જ નહીં
અને કદાચ બચે તો ય એની ટકાવારી
અતિ અલ્પ હોય.
કમાલની કરુણતા છે ને ?
માણસ પોતાના ઘરમાં કચરો રાખવા તૈયાર નથી
અને આંખ, કાન, મન વાટે જેટલો
કચરો પોતાના જીવનમાં
ઠાલવી શકાય એટલો ઠાલવવા તૈયાર છે અને
એ ય હોશે હોશે ! માનવ ! તને બુદ્ધિમાન શું કહેવો ?
४८