SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ પગ તળે બળે તે જુએ નહીં ને લંકા ઓલવવા જાય એક અજ્ઞાત હિન્દી લેખકનો આ વ્યંગ ઃ एक कवि एक समझदार आदमी के पास गया और बोला- मैं कविता के माध्यम से साहित्य और समाज की सेवा करना चाहता हूँ, તાયે મેં વળ્યા છે? ઉત્તર ભિા, आप कविता लिखना बंद कीजिए यह साहित्य की सेवा होगी और लिखी हुई कविता किसे भी न सुनाइए यह समाज की सेवा होगी। એક સરસ મજેનું શાસ્ત્રવાક્ય છે. સૌથી શ્રેષ્ઠ ચિંતા આત્મચિંતા છે, પાંચેય ઇન્દ્રિયોના વિષયોની ચિંતા એ મધ્યમ ચિંતા છે, માત્ર અને માત્ર પૈસાની જ ચિંતા એ અધમ ચિંતા છે પરંતુ પરચિંતા અર્થાત્ પારકાની જ ચિંતા એ તો અધમાધમ ચિંતા છે. પ્રશ્ન એ થાય છે કે પરચિંતા એ તો અધમાધમ ચિંતા છે એ કહેવા પાછળ આશય શો છે ? પરચિંતાને આત્મા માટે આટલી બધી નુકસાનકારી કહેવા પાછળ ગણતરી શી છે? જવાબ એક જ છે. પરચિંતામાં આત્માનું સરાસર વિસ્મરણ છે, પરચિંતામાં આત્મઘરથી દૂરસુદૂર થઈ જવાનું બને છે. પરચિંતામાં વેદના-વ્યથા કે વલોપાત ગેરહાજર જ રહે છે. કેવી કરુણદશા છે આત્માની? માણસ હૉસ્પિટલમાં દાખલ થાય છે તો પહેલાં પોતાના ૪૫ સ્વાસ્થ્યની ચિંતા કરે છે, બજારમાં જાય છે તો પહેલાં પોતાની કમાણીની ચિંતા કરે છે, હૉટલમાં જાય છે તો પહેલાં પોતાના ખાવાની ચિંતા કરે છે પરંતુ દોષોની વાત આવે છે ત્યારે પહેલાં એ બીજાઓની ચિંતા કરવા લાગે છે ! ‘ક્રોધ તો છગનભાઈનો જ ! લોભમાં મગનભાઈને તો કોઈ ન પહોંચે ! નથુભાઈને માયામાં તો કોઈ જ ન પહોંચે ! પેથાભાઈ જેવો અભિમાની માણસ મેં મારી જિંદગીમાં જોયો નથી ! ગામનું કરી નાખવામાં નટુ કદાચ આખા જગતમાં પ્રથમ નંબરે હશે !’ આ શું ? આ જ કે પોતાના મનમાં રહેલા દોષો જોવાની કોઈ તૈયારી જ નહીં. પોતાના જીવનમાં વ્યાપેલા દોષોને દૂર કરવાની કોઈ વૃત્તિ જ નહીં. પોતાના જીવનની નબળાઈઓને સ્વીકારી લેવાની કોઈ વૃત્તિ જ નહીં. પરિણામ ? મડદાનો તુર્ત જ જો અગ્નિસંસ્કાર કરી દેવામાં નથી આવતો તો એ પડ્યું પડ્યું જેમ ગંધાતું હોય છે, કચરાને તુર્ત જ જો દૂર કરી દેવામાં નથી આવતો તો પડ્યો પડ્યો એ જેમ ઉકરડાના સ્વરૂપને ધારણ કરી બેસે છે, શરીરમાં પેદા થઈ ગયેલ રોગને જો તુર્ત જ રવાના કરી દેવામાં નથી આવતો તો એ રોગ જેમ મોતની આમંત્રણ પત્રિકા બનીને જ રહે છે તેમ સ્વજીવનમાં વ્યાપેલા દોષોને ઊંચકી ઊંચકીને દૂર કરી દેવાના પ્રયત્નો જો ગંભીરતાપૂર્વક શરૂ કરી દેવામાં નથી આવતા તો પડ્યા પડ્યા એ દોષો આત્માને દુર્ગતિમાં ધકેલીને જ રહે છે. મનની અને જીવનની આ અવળી દિશાને આજથી જ ફેરવી નાખવા આપણે પ્રયત્નશીલ બની જવાની જરૂર છે. બળી રહેલ લંકાને ઠારી દેવા આપણે જરૂર પ્રવૃત્ત થશે પણ એ પહેલાં આપણા બળી રહેલ પગનો ઇલાજ અચૂક શરૂ કરી દઈએ. એમાં આપણું ય હિત છે અને સામાનું હિત પણ એમાં જ છે ! **
SR No.008939
Book TitleShu Vaat Karo Cho
Original Sutra AuthorN/A
AuthorRatnasundarsuri
PublisherRatnasundarsuriji
Publication Year
Total Pages51
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size167 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy