________________
પ
.
તૈયારી નથી. એ વેદના ભોગવવા તૈયાર છે પણ વિધેયાત્મક અભિગમ સાથે દોસ્તી જમાવી દેવા એ તૈયાર નથી.
એક પ્રયોગ બતાવું?
ધાર કે તારા શરીરમાં ૧૦૨ ડિગ્રી તાવ છે. શરીર તારું ધખે છે, પગ તારા તૂટે છે, માથું તારું ભમે છે, પેટ તારું ખેંચાય છે. આ સ્થિતિમાં મન તારું એમ કહે છે કે “આટલો બધો તાવ? આટલી બધી કળતર ?”
અહીં અપનાવી લે સમ્યક દૃષ્ટિકોણ.
‘આટલો જ તાવ ? અને માત્ર તાવ જ ? અલ્સર નહીં ? કૅન્સર નહીં? ઝાડા નહીં ? લોહીની ઊલટી નહીં ? પ્રભુ, તારી પરમ કરુણા કે આટલી જ વેદના મારે લમણે ઝીંકાઈ !”
શું તું એમ માને છે કે આ દૃષ્ટિકોણ અપનાવ્યા પછી ય તારું મન ઉદ્વિગ્નતાનું શિકાર બન્યું રહેશે? હરગિજ નહીં.
સર્પ [દુઃખ ભલે હટે નહીં, એનામાં રહેલ ઝેર [ગલત દૃષ્ટિકોણ ને દૂર કરી દે. પછી તારે ડરવાનું કોઈ કારણ નહીં રહે.