________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કથા-પરિચય આ દીર્ઘકથાનો આધારગ્રંથ છે - “સુરસુંદરીરાસ.' આ રાસની રચના પંડિતપ્રવર શ્રી વીરવિજયજીએ વિ. સં. ૧૮૫૭ માં અમદાવાદમાં રહીને કરેલી છે. જૈન ગુજરાતી સાહિત્યમાં પંડિત પ્રવરશ્રી વીરવિજયજીનું યોગદાન અત્યંત મહત્ત્વપૂર્ણ અને અસાધારણ છે. તેઓની એક-એક રચના પદલાલિત્યથી ભરપૂર છે. વર્ણનશૈલી પણ રોચક અને બોધક છે. “સુરસુંદરીરાસમાં તેઓએ સાહિત્યના નવે રસોને અનન્ય રીતે બોલાવ્યા છે. પુષ્ટ કર્યા છે. આ રાસને વાંચતાં સહેજે એમ થઈ આવે કે જાણે કાવ્યની પંક્તિઓને, શબ્દોનું સૌન્દર્ય નીતરતું જોબન ફૂટયું છે.
આ રાસ-કાવ્યમાંથી કથાવસ્તુ લઈને મેં પ્રસ્તુત પુસ્તક વિ. સં. ૧૦૩૭માં ધાનેરા (ગુજરાત)ના ચાતુર્માસ દરમ્યાન લખ્યું હતું. કથા વાંચતા વાંચતાં સાત્વિક રસાનુભૂતિ તો થશે જ, સાથે જ 'શ્રી નમસ્કાર મહામંત્ર” ઉપર અગાધ શ્રદ્ધા પણ જાગશે. સહુ કોઈ આ કથાનું વાંચન કરીને અન્તર્મુખ બને. અનાસક્ત બને, એ જ મંગલ કામના સાથે..
- પ્રિયદર્શન
For Private And Personal Use Only