________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
88
હર - ક
રત્નજીટીએ ગુણમંજરીને મૂલ્યવાન વસ્ત્રાલંકારો આપ્યાં. અક્ષયકુમારના માટે પણ અનેક સુંદર વસ્ત્રાલંકારો આપ્યાં અને સહુની વિદાય લઈ તે પોતાના નગરે ચાલ્યો ગયો. મહારાજા ગુણપાલે પણ બેનાતટનગરે જવાની ધનાવહ શ્રેષ્ઠી પાસે અનુમતિ માગી. તેઓ પણ બેનાતટ ચાલ્યા ગયા.
ધનવતીએ પોતાના હૃદયને દૃઢ રાખીને ગુણમંજરીનાં તન-મનને સાચવવા માંડ્યાં. ગુણમંજરીએ સુંદર વસ્ત્રો ત્યજી દીધાં. અલંકારો પણ ત્યજી દીધા. એક સાધ્વી જેવું જીવન જીવવા માંડ્યું. ધનવતીની સાથે એણે વિવિધ ધર્મ આરાધનાઓમાં પોતાના મનને પરોવવા માંડ્યું. રાણી રતિસુંદરી પણ ગુણમંજરીને પોતાની પુત્રીની જેમ જ સાચવવા લાગી. વર્ષો વીતે છે.
અક્ષયકુમાર તરુણ અવસ્થામાં પ્રવેશે છે. કલાચાર્યની પાસે અનેક કલાઓ ગ્રહણ કરે છે. પત્રમાં કોઈ પણ દૂષણ પ્રવેશી ન જાય તેની ગુણમંજરી સંપૂર્ણ કાળજી રાખે છે. પ્રતિદિન પુત્રને પાસે બેસાડીને સુંદર વાર્તાઓ કહે છે. અમરકુમાર અને સુરસુંદરીની વાતો કરે છે. ક્યારેક અક્ષયકુમાર જીદ પકડે છે: “મા, ચાલને આપણે મારા પિતાજી પાસે જઈએ...' ત્યારે ગુણમંજરી કહે છે: “બેટા, તારા પિતાજી અહીં આવશે ત્યારે એમની પાસે જઈશું...”
ક્યારેક ગુણમંજરી રાતભર અમરકુમાર અને સુરસુંદરીને યાદ કરતી. જાગતી પડી રહે છે... આંસુ વહાવે છે... ને શ્રી નવકારમંત્રનું સ્મરણ કરે છે. તેણે પ્રતિદિન ૧૦૮ નવકારમંત્રનું સ્મરણ કરવાની પ્રતિજ્ઞા લીધી છે.
તે મિષ્ટાન્ન ખાતી નથી. કેશનો શૃંગાર કરતી નથી. તાંબૂલ ખાતી નથી... જ્યારે જ્યારે મન અસ્વસ્થ બને છે ત્યારે ગૃહમંદિરમાં જઈને પરમાત્માની સ્તવના કરે છે. પરમાત્માના ધ્યાનમાં લીન બને છે. ક્યારેક ધનવતીની સાથે ઉપાશ્રયમાં સત્સંગ કરે છે... તો ક્યારેક રતિસુંદરીની પાસે મહેલમાં જઈને તત્ત્વચર્ચા કરે છે.
સમયનો અસ્મલિત પ્રવાહ વહેતો રહે છે. કાળને કોઈ થંભાવી શકતું નથી... અક્ષયકુમાર યૌવનમાં પ્રવેશે છે.
૦ ૦ ૦
For Private And Personal Use Only