SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra હ - www.kobatirth.org ‘શામ્યશતક'માં વિજયસિંહસૂરિજી કહે છે : Acharya Shri Kailassagarsuri Gyanmandir यद्वामी पिशुनाः कुर्युरनार्यमिह जन्मनि । इन्द्रियाणि तु दुर्वृत्ता न्यमुत्रापि प्रकुर्वते ॥ ५५ ॥ દુર્જનો કરતાંય ઇન્દ્રિયો વધુ અનર્થકારી છે, આ વાત કહેવામાં આવી છે. દુર્જનો તો વર્તમાન જીવનમાં જ બીજા જીવોને દુઃખ આપે છે, ત્રાસ આપે છે, જ્યારે આ ઇન્દ્રિયો તો વર્તમાન જીવનમાં અને પારલૌકિક જીવનમાં પણ દુ:ખ આપનારી છે. કષાયોના વિપાકો શ્રમણ ભગવાન મહાવીરના કાનમાં ખીલા કેમ ઠોકાણા હતા? પૂર્વજન્મમાં પ્રિય શબ્દ-સંગીતના રસના કારણે નોકરના કાનમાં ગરમ-ગરમ સીસું રેડાવ્યું હતું. · દ્રોપદીને પાંચ પતિ કેમ કરવા પડ્યા? પૂર્વજન્મમાં (સાધ્વીના જીવનમાં) આંખોથી વેશ્યાનો પાંચ પુરુષો સાથેનો વિલાસ જોયો હતો અને ગમ્યો હતો. - મથુરાના મંગુ આચાર્યને ગટરના યક્ષનો જન્મ કેમ મળ્યો હતો? કઈ ઇન્દ્રિયના પાપે? રસેન્દ્રિયના પાપે. આવાં તો અનેક શાસ્ત્રીય અને વર્તમાનકાલીન દૃષ્ટાંતો છે, કે જે ઇન્દ્રિયોની પરવશતાના પરિણામે આવતાં દુ:ખોને પ્રગટ કરે છે. માટે ઇન્દ્રિયવિજય મેળવવો અતિ આવશ્યક છે. કષાયોને ઇન્દ્રિયો જ ઉત્તેજિત કરે છે. એક વાત બરાબર યાદ રાખજે. પાંચ ઇન્દ્રિયોના વિષયો, દૃષ્ટિવિષ સાપ (જે સાપની દૃષ્ટિ પડતાં જ જીવ બળી મરે) કરતાંય વધારે ભયંકર છે. દૃષ્ટિવિષ સાપની આંખોમાં ઝેર રહેલું હોય છે, એ સર્વે જે જીવ પર, જે વૃક્ષો પર, જે પશુ-પક્ષી પર દૃષ્ટિ નાંખે, તે બળી મરે. જ્યારે આ ઇન્દ્રિયોના વિષયોનું સ્મરણ કરવા માત્રથી જીવો બળી મરે છે! ઉપાધ્યાયશ્રી યશોવિજયજીએ કહ્યું છે : નયન ફરસ જન-તનુ લખે, દેહ દૃષ્ટિવિષ સાપ, તિન-સું ભી પાપી વિષય, સુમરે કરે સંતાપ. For Private And Personal Use Only પાંચ ઇન્દ્રિયોના વિષયો સાથે મનમાં પણ પ્રેમ કરીશ નહીં. મનથી પણ વિષયભોગ કરીશ નહીં. અર્થાત્ માનસિક રીતે પણ વૈષિયક સુખોના
SR No.008911
Book TitleLay Vilay Pralay
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2009
Total Pages283
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy