SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 9. લથભંગ કરનારા અસુરો - પ્રિય આત્મસાધક, સસ્નેહ આત્મવંદન. તારો પત્ર મળ્યો. તે જે વાત લખી તે સાચી છે. જીવનલયને તોડનારાં પરિબળો સમાજમાં, નગરમાં અને ઘરમાં ઘણાં વધી ગયાં છે. આ આસુરી પરિબળો છે. આ આસુરી પરિબળો, પ્રકૃતિના સહજ લયને તોડે છે. જે માણસ પોતાનો જ નહીં, બીજાનો પણ લય તોડે અને તોડવામાં રાચે, તે ખરેખર અસુર કહેવાય. આ અસુરો આજે સર્વત્ર જોવા મળે છે! ૦ કોઈની હત્યાના કાવતરામાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ભાગ લેનાર મનુષ્ય અસુર છે. ૦ આહારની વાનગીઓમાં જીવલેણ વસ્તુઓની ભેળસેળ કરનાર અને વેચનાર અસુર છે. ૦ નનામા કાગળો લખીને કોઈના સુખી જીવનમાં દખલ પહોંચાડનાર મનુષ્ય અસુર છે. ૦ સાવ નિર્દોષ માણસ પર ખોટો આરોપ મૂકી, તટસ્થતાનો દંભ કરી, ખરે ટાણે મૌન ધારણ કરીને સાચી જુબાની ન આપનાર મનુષ્ય અસુર છે. ૦ કોઈ સ્ત્રી કે પુરુષને એકબીજાની ઇચ્છાવિરુદ્ધ પરણાવનાર કે પરણવાની ફરજ પાડનાર મનુષ્ય અસુર છે. ૦ માદક દ્રવ્યોની હેરાફેરી દ્વારા કે દાણચોરી દ્વારા પૈસા કમાનાર મનુષ્ય અસુર છે. ૦ પરસ્ત્રીગામી અને સ્વસ્ત્રી ઉપર પણ બળાત્કાર કરનાર અસુર છે. ૦ બીજાના પ્રેમસંબંધને તોડવા છૂપી રીતે કે દેખીતી રીતે દાવ ખેલનાર અસુર ૦ નિંદા-કૂથલી દ્વારા, ખોટી અફવાઓ દ્વારા પરિવારોમાં, સંસ્થાઓમાં, સંઘમાં કે સમાજમાં ખળભળાટ મચાવનાર અને એ રીતે માનવસંબંધોમાં ખલેલ પાડનાર મનુષ્ય અસુર છે. ૦ પૈસા ખાઈને ખોટી સાક્ષી આપનાર અસુર છે. For Private And Personal Use Only
SR No.008911
Book TitleLay Vilay Pralay
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2009
Total Pages283
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy