________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લય-વિલય-પ્રલય
૨૪૯ “સત્ય” એટલે આત્માનું-બ્રહ્મનું બીજું નામ. જે આ જાણે તેને વારંવાર સ્વર્ગલોક નિકટ લાગતો, પણ અનંત ક્યારેય ત્યાં પહોંચી શક્યો ન હતો. ક્યારની તેની આ તૃષા છીપી ન હતી. જે પ્રાજ્ઞપુરુષોથી તે પરિચિત હતો, જેમના ઉપદેશને તે માણતો હતો, તેમાંથી કોઈપણ સ્વર્ગલોક સુધી પહોંચી શક્યું ન હતું. કોઈએ ક્યારેય તેની શાશ્વત તૃષા સંપૂર્ણપણે છિપાવી ન હતી.
એક દિવસ અનંતે અમરને કહ્યું : “અમર, ચાલ મારી સાથે, પેલા ગામબહારના વડના વૃક્ષ નીચે ધ્યાન કરીશું. બંને વૃક્ષ નીચે ગયા. વીસ પગલાંના અંતરે તેઓ બેઠા. તેમણે શ્રીનવકાર મંત્રનું ગુંજન કર્યું. ધ્યાનમાં લીન બન્યા. સમય પૂર્ણ થતાં અમર ઊભો થયો. તેણે અનંતને નામ દઈ બોલાવ્યો. તેણે ઉત્તર ન આપ્યો. અનંત ધ્યાનમગ્ન હતો. તેની આંખો તાકીને નિહાળ્યા કરતી હતી જાણે કે કોઈ દૂરના લક્ષ્ય પર સ્થિર ન થઈ હોય! તેની જીભનો અગ્રભાગ દાંતો વચ્ચે લગીર દેખાતો હતો. તેનો વ્યાસ સ્થિર થઈ ગયો હતો. તે બ્રહ્મ તરફ તાકેલા તેના આત્મારૂપી શરનું સંધાન કરતો હતો.
૦ ૦ ૦ એક દિવસે પ્રભાતે કેટલાક શ્રમણો નગરમાંથી પસાર થતા હતા. પરિવ્રાજક શ્રમણો હતા. ત્રણ પાતળા અને થાકેલા શ્રમણો હતો. તેઓ નહોતા વૃદ્ધ કે નહોતા યુવાન. ખભા હતા ધૂળભર્યા. શરીર પર હતાં જીરું અને મેલાં ભગવા રંગનાં બે વસ્ત્રો. સૂર્યતાપથી દાઝેલા હતા. જગ પ્રત્યે ઉદાસ હતા. તેમની આસપાસ શાંત આવેશનું, નિઃશેષ ત્યાગનું અને નિષ્ફર દેહદમન તથા મનોનિગ્રહનું વાતાવરણ ઝળુંબતું હતું.
ધ્યાન કર્યા પછી સાયંકાળે અનંતે અમરને કહ્યું : 'મિત્ર, આવતીકાલે સવારે અનંત શ્રમણ સંઘમાં ભળશે. તે શ્રમણ બનશે.” - મિત્રની મુખમુદ્રા પર પ્રથમ દૃષ્ટિ પડતાં જ અમને ખાતરી થઈ ગઈ કે અત્યારે તો આ માત્ર આરંભ જ છે અનંત પોતાના માર્ગે જતો હતો. તેનું ભાવિ સ્વયં ઊઘડતું જતું હતું. તેના ભાવિ સાથે પોતાનું ! અમર કેળાની સુકાયેલી છાલ જેવો ફિક્કો પડી ગયો.
અરે, અનંત! તારા પિતા તારા આ પગલાને સંમતિ આપશે?'
આપણે શબ્દો નહીં વેડફીએ અમર.” તેણે મૃદુ સ્વરે કહ્યું. આવતીકાલે મળસ્કે હું શ્રમણજીવનનો આરંભ કરીશ. હવે આપણે આ વાતની ફરી ચર્ચા નથી કરવી.'
For Private And Personal Use Only