________________
તો પછી...'
‘એની સાથે મારે મેળ નથી” ‘તો એક વાત સાંભળી લો. સોમાના પિતા સાથે મારે સારો એવો મેળ છે. મારી પુત્રીનો સંબંધ તમારી સાથે બાંધું તો મારા પર એ નારાજ થયા વિના ન રહે. બની શકે કે સોમા પણ મારા પર નારાજ થઈ જાય.'
અને રુદ્રદેવ, નાગદેવનો આ જવાબ સાંભળીને તમે છંછેડાઈ ગયા છો. “સોમાં જ્યાં સુધી જીવતી હશે ત્યાં સુધી મને નાગશ્રી નહીં જ મળે. માટે સામાને ખતમ કરી જ નાખું' આ વિચાર સાથે તમે એક ઝેરી સર્પને ઘડામાં નાખીને ઘરના એક ખૂણામાં ઘડો મૂકી દીધો છે અને સોમાને એ ઘડામાંથી પુષ્પમાળા લઈ આવવાનો આદેશ કર્યો છે.
સોમાએ જેવો એ ઘડામાં હાથ નાખ્યો છે, અંદર રહેલા સર્વે સોમાના હાથ પર જોરથી ડંખ લગાવી દીધો છે. સોમાના શરીરમાં ફેલાઈ ગયેલા ઝેરે એનો ભાગ ભજવ્યો છે. એ તરફડવા લાગી છે. એની આંખોના ડોળા બહાર નીકળી ગયા અને પળવારમાં તો એનું પ્રાણપંખેરું ઊડી ગયું છે.
તમે એની વિદાય બાદ નાગદેવની પુત્રી નાગશ્રી સાથે લગ્ન તો કર્યા જ છે પરંતુ એની સાથે તીવ્રાસક્તિ સાથે ભોગો ભોગવતા નરકગતિમાં રવાના થઈ ગયા છો. ધર્મ પ્રત્યેના દ્વેષે તમારો પરલોક બગાડી નાખ્યો છે.
-
રુદ્રદેવ! માટીના ઘડામાંથી ફૂલનો હાર કાઢવા પત્ની સોમાને તમે આજ્ઞા તો કરી પણ...
પ્રભુ, કેવા ભયંકર છે આ વિષય સુખો? એની આસક્તિ ધર્મ પ્રત્યે, ધર્મી પ્રત્યેક ધર્મનાં અંગો પ્રત્યે ય દ્વેષ કરાવીને જ રહે! મારે તને એક જ વિનંતિ કરવાની છે. મને તું એવા રાગનો શિકાર તો ન જ બનવા દેતો કે જે રાગ મને તારાં વચનો પ્રત્યે દ્વેષ કરાવીને જ રહે !
૯૩