________________
“તમે મને સંયમ ન આપો ?'
‘ના’
‘પણ વાંધો શું છે ?' 'aisi?'
‘હા’
મારી પાસે ધર્મ ધી કે ‘એટલે ?’ ‘મારા માર્ગમાં ધર્મ નથી’ ‘બિલકુલ ધર્મ નથી ?’
'પણ હું આમ કેમ પૂછે છે કે
‘મારા જીવનના ઉદ્ધારક તો તમે જ છો !'
અને મરીચિ, તમે એને કહી દીધું છે કે ‘કપિલ, ધર્મ તો અહીં પણ છે અને ત્યાં પણ છે.' બસ, આટલા ઉત્સૂત્ર ભાષણે તમે એક કોડાકોડી સાગરોપમ પ્રમાણ સંસાર વધારી દીધો છે.
---
મરીચિ ! રાજકુમાર કપિલને તમે અહીં પણ ધર્મ છે અને ત્યાં પણ ધર્મ છે' આમ કહીને કેવી ભારે ભૂલ કરી બેઠા છો ! આ ઉત્સૂત્રભાષણે તમારો કોડાકોડી સાગરોપમ જેટલો સંસાર વધારી દીધો છે !
પ્રભુ, એમ લાગે છે કે માર્ગની પાકી સમજ મેળવ્યા પછી ય જો મારી પાસે નિઃસ્પૃહચિત્ત નથી તો હું ય ગમે તેવા જવારા કરવા દ્વારા મારું સંસાર પરિભ્રમણ વધારી શકું છું. મને તું ત્રણ ચીજ આપી દે. નિઃસ્પૃહ ચિત્ત, સમ્યક્ સમજ અને પાપભીરુ અંતઃકરળ, તો જ મારી જીભ કદાચ ઠેકાણે રહેશે.
૨૩