________________
૧૬૪
વાણીનો સિદ્ધાંત
વાણીનો સિદ્ધાંત
૧૬૫
ક્યારે ઉત્પન્ન થાય ? જ્યારે પોતાને કોઈ પણ જાતનો ક્લેશ ના હોય ત્યારે પોતાનો સામાન ઉત્પન્ન થાય !
એટલે પ્રવચન તો બહુ દહાડા સાંભળ્યાં. નય પ્રવચન જ સાંભળ સાંભળ કર્યા છે ને ! લોકોએ પુસ્તકો વાંચ વાંચ ક્યાં અને પ્રવચન સાંભળ સાંભળ કયાં, પણ પ્રવચન કામ લાગે નહીં, એ કશું હેલ્પ કરે નહીં. આ તો એકલું પાણીમાં ઝબોળ્યા કરે, એમાં દહાડો વળે નહીં. પ્રવચન એટલે પાણીમાં ઝબોળવું. એમાં કંઈ સાબુ ઘાલે તો દહાડો વળે. એના કરતાં વ્યાખ્યાનમાં-પ્રવચનમાં ના જઈએ, તે શું ખોટું છે ?
આપણે એમને કહીએ કે તમારી ચિંતા છૂટી હોય તો હું તમારી પાસે સાંભળું. અને એની ચિંતા ના છૂટી હોય, એનું ચિંતાનું કારખાનું ચાલતું હોય,
ત્યાં પછી આપણને શો લાભ થાય ? આપણે એવું કહેવાય કે ના કહેવાય કે ‘સાહેબ તમારી દુકાનમાં હું શાસ્ત્રો સાંભળવા આવીશ. પણ તમારી ચિંતા છૂટી હોય તો હું સાંભળું, નહીં તો મને શું કરવા ફસાવો છો ?”
પ્રશ્નકર્તા : આ બધા પ્રવચનકારો કહે છે કે તમારા લાભની જ વાત
જો ઊતરે નહીં તો મારે કામનું શું છે ? એ તો પુસ્તક વાંચીએ તો ય મળે છે, તો તમારી જરૂર શું છે ? તમારી એજન્સીની જરૂર શું ? તમારી દલાલી શા માટે આપીએ ? દસ વર્ષ ત્યાં જઈ આવ્યો પણ શું સુધર્યો એટલું તો તપાસ કરવી જોઈએ ને ? હજાર રૂપિયા જાય ને અસર થઈ જાય તો એવા ને એવા જ છો, શું સુધર્યા ?
રંગ લગાડે તો સાયું ! પ્રવચન સાંભળવાની તો એક જાતની ટેવ પડી જાય છે. નવરાશ છે તો ‘હંડો ત્યાં આગળ’ કહેશે. આનું સાંભળી આવ્યા, પેલાનું સાંભળી આવ્યા, ને ભેળસેળ કરે, બધો ખીચડો કરે. પ્રવચન તો કેટલાંય વખતથી ચાલે છે. આ હિન્દુસ્તાનની દશા તો જુઓ, આ જ પ્રવચનને લઈને. દર્દ મટે એવી દવા જોઈએ.
અને હિન્દુસ્તાનમાં તો પ્રવચનનો રિવાજ છે. પ્રવચન તો એક જાતનું મોજશોખનું સાધન છે, તે મોજશોખને ખાતર બધા લોકો જાય, કે ભઈ એટલો ટાઈમ અહીં સિનેમામાં જાઉ તેના કરતાં અહીં બે કલાક સારા જાય. પછી દેખ લેંગે. ને પ્રવચન કરતા હોય તેને પાછાં કેટલાક મહીં તો ગાળો ય ભાંડતા હોય. કહેશે, “આ શું જોઈને વાતો કરો છો ? આ બધી ખોટી વાતો છે.’ આને ધર્મ જ કેમ કહેવાય ? ધર્મ તો આમ રંગત લાગવી જોઈએ. શાંતિ ઉત્પન્ન થવી જોઈએ, આનંદ ઉત્પન્ન થવો જોઈએ. તમને ક્યાંય પ્રવચનનો રંગ લાગેલો નહીં ?
પ્રશ્નકર્તા : રંગ હજુ લાગ્યો જ નથી.
દાદાશ્રી : પણ આ દેશમાં જબરજસ્ત પેસી ગયું છે. જે ને તે આવે, તે આત્માસંબંધી પ્રવચન કરીને પાછા જતા રહે. અને લોકો ય પાછા એવા ને એવા, બીજે દહાડે હતા તેવા ને તેવા ! રંગ ફેરફાર ય નથી થયો, પૂઠિયું ફેરફાર નથી થયું, કશું ફેરફાર નથી થયું. એટલે જે આવે તે પ્રવચન આપતા જાય, પણ કોઈનામાં સુધારો કશું થાય નહીં.
રંગ ના લાગે એ સત્સંગ-પ્રવચન કામનાં નહીં. એટલે કે પોતાના જીવનમાં આવવું જોઈએ, વણાઈ જવું જોઈએ, હેમ્પિંગ થવું જોઈએ.
દાદાશ્રી : પણ બીજું શું કહે ત્યારે એ ? તમને છેતરનારો ય એવું કહે છે કે હું તમારા લાભની જ વાત કરું છું. છેતરનારા કંઈ એવું કહે કે તમારા નુકસાનની વાત કરું છું ? ઓર્નામેન્ટલ (વૃંગારયુક્ત) વાત કરે ને ? કે ડીફોર્મ (કઢંગી) વાત કરે ? આ તો બધાંને ઓર્નામેન્ટલ વાત કરતાં આવડે. આ તો બધા ઓર્નામેન્ટલ વાણી બોલે છે કે હું તમને લાભની વાત કરું છું ! ઓહોહોહો ! મોટા લાભ કરવાવાળા આવ્યા !એના ઘેર તો છોકરાંને આપવાનું કંઈ ઠેકાણું નથી ને વાત પાછા આપણને લાભ કરવા આવ્યા હોય. એટલે એ બધું ઈગોઈઝમ છે ખાલી.
પ્રશ્નકર્તા : એકદમ તો બધું કેવી રીતે ઊતરી જાય ? બધાંને એવું કંઈક હોય છે જ.
દાદાશ્રી : આવું જ માને છે બધા ય. આ તરત ઊતરી શી રીતે જાય ? આપણે તો એમને ઉપદેશ આપનારને જવાબ દેવો કે ભઈ, આ