________________
વાણીનો સિદ્ધાંત
૧૨
વાણીનો સિદ્ધાંત
સત્ય શું છે ?
દાદાશ્રી : સ્વર તો, એ કવિનો સ્વર જુદો. અને પેલું હોર્ન દબાવો તે ઘડીએ બોલે છે, સ્વર કરે છે કે નહીં ?
પ્રશ્નકર્તા : હા, એ ય અવાજ છે.
દાદાશ્રી : એ સ્વર. આમાંથી, મૂંગળામાંથી નીકળ્યું એટલે આવું અને કવિના મોઢેથી નીકળે એટલે આવું. બેઉ સ્વર છે. સ્વરને જાણનારો ભગવાન છે. એ નોંધ કરે છે સ્વરની, કે કેવું નીકળે છે ? એટલે સ્વર એ જાણવાની ચીજ છે અને ઈશ્વર એ જાણનારો જુદો છે.
નથી. કોઈ માણસ એવો શક્તિશાળી પાક્યો નથી કે જે ગાઈ શકે. બક્ષિશ છે આ, કુદરતી બક્ષિશ ! એ બધાને ના હોય.
અને એવું છે ને, સ્વરના માધ્યમથી બધા બહુ લોકોએ ગાયેલું. પણ જે ભગતમાં વિત્ત હોય ને, તેની કિંમત ! વિત્ત ના હોય તેને શું કરવાનું? જે ભક્તોમાં હેમ્પિંગ થાય એવું એનું જ્ઞાનને એ સ્વર બધું હોય, તો લોકો સાંભળે. નહીં તો પછી એ પોતે ગાયા જ કરે, એના પોતાનાં તાનને માટે. એમાં ગાનારો પોતે ને સાંભળનારો પોતે. પછી મનની મસ્તીમાં રહે !
એમાં આત્મા કર્તા જ નહીં !
પ્રશ્નકર્તા : શબ્દ જે ઉત્પન્ન થયો, તે આત્માની શક્તિ હોય તો જ ઉત્પન્ન થાય ને ?
તમે ઘણું ય બોલો, પણ જાણનાર હોય ત્યારે કિંમત થાય. એ જ સ્વરને લોક કાન દઈને સાંભળ્યા કરતા હોય. અને એ જ સ્વરને લોકો પાછા કહેશે, “શું બોંગ્રેડે છે આ ?!” તે પાછા સ્વરને બાંગડે કહે. એટલે સ્વર એની જગ્યાએ હોય ત્યાં સુધી એ સ્વર છે. એની જગ્યાએ શોભાયમાન હોય ત્યાં સુધી એ સ્વર છે અને એનો જાણનાર તે ભગવાન ! આટલું સમજવાની જરૂર છે.
પ્રશ્નકર્તા : ‘આ બહુ સુંદર ગાય છે' એ જાણનાર ભગવાન, એ પણ બરોબર અને “આ તો બોંગડ્યા કરે છે એ જાણનાર પણ ભગવાન જ ને ?
દાદાશ્રી : જાણનાર છે એ ભગવાન.
દાદાશ્રી : શબ્દ છે એ શાનો ગુણ છે ? એ નથી પુદ્ગલનો ગુણ કે નથી આત્માનો ગુણ. ‘આત્મામાં અવાજ કરવાની શક્તિ છે કે બોલવાની શક્તિ છે.” એવું જો કોઈ શાસ્ત્ર કહેતું હોય તો એ શાસ્ત્ર તદન ખોટું છે, મૂળમાંથી જ ખોટું છે.
આ જે બધું કરવામાં આવે છે, શાસ્ત્ર વાંચો, ભક્તિ કરો, ચોરી કરો, મારીએ, તો ય એમાં આત્મા નથી. આત્મા ખાલી “જોયા’ કરે છે. આત્માની હાજરીથી બધું થઈ રહ્યું છે. એની હાજરી ના હોય તો ના થાય. આત્માની હાજરી ના હોય, તો આ શબ્દરૂપે-વાણીરૂપે ના નીકળે. અવાજ થાય, પણ વાણીરૂપે ના નીકળે. આ તો વિગતવાર વાણી નીકળે છે. પોતાને બધી વાત કરવી હોય તે ટાઈમે સંજ્ઞા હાજર થઈ જાય. બાકી આત્મા માં હાથ ઘાલતો જ નથી.
હવે જે ચેતન બોલી શકે છે, એમ કહે છે એ મિશ્ર ચેતન છે. એટલે નવું ઊભું થયેલું. જેમ તમે અને તમારો પડછાયો બે જુદા જ હોય ને. એટલે પડછાયો બોલે છે આ. મૂળ ચેતન તો ભગવાન જ છે, એ બોલે નહીં. એ અક્રિય છે, કોઈ ચીજના કર્તા પોતે નથી. જ્ઞાતા-દ્રષ્ટા ને પરમાનંદી રૂપે છે અને તમારામાં પણ બેઠેલાં છે.
પ્રશ્નકર્તા : સ્વર, શબ્દ અને ભાવ એમાં સર્વોપરી કોણ ?
દાદાશ્રી : એમાં ભાવ સર્વોપરી. ભાવ બધાની માતા છે, આ સ્વર અને શબ્દની માતા કોણ ? એ ભાવ.
પ્રશ્નકર્તા : સ્વરનાં માધ્યમથી નરસિંહ-મીરાંએ ગાયું. એમને ‘ઇશ્વરનાં ભગત છે” એમ જગતે જાણ્યું. પણ એ સિવાય જેનો સ્વર સારો નહોતો એનું શું ?
દાદાશ્રી : ‘ગાવું' એ તો બક્ષિશ છે. બાકી એમાં એની કોઈ શક્તિ