SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૦ વાણીનો સિદ્ધાંત વાણીનો સિદ્ધાંત ૧૧૯ કરતા હોય, તે બધું સાથે છપાઈ જાય. અહીં બેઠેલાને ખબર ના હોય કે શું શું અવાજ થઈ રહ્યા છે. દાદાશ્રી : હા, બીજું બધું છપાઈ જાય. અહીં પ્યાલો ખખડે તો એ મહીં છપાઈ જાય. પ્રશ્નકર્તા : એવી રીતે જાગૃતિ હવે જેમ જેમ વર્તતી જાય, તેમ તેમ જ્ઞાતા-દ્રષ્ટાપણું પણ વધતું હોય. દાદાશ્રી : તે દહાડે ભાવમાં ટેપ થયેલી અને આ અત્યારે શબ્દમાં આવ્યું. અત્યારે જે બોલીએ છીએ, તે જ ભાવમાં ગોઠવાઈ છે. એટલે એથી પહેલાંનું નહીં. આ ભવનું જ પરિણામ છે અને પેલું એનાં કૉઝીઝ (કારણો) હતાં. કૉઝીઝમાં ગોઠવાઈ ગયેલું. પ્રશ્નકર્તા : કૉઝીઝ ગયા ભવનાં ને ? દાદાશ્રી : કૉઝીઝ ગયા ભવમાં થયેલાં, તે ગોઠવાઈ ગયેલી, તે અત્યારે પ્રગટ થાય છે બસ, આ ભવની જ કહેવાય. એ કૉઝીઝ હંમેશાં પહેલાં હોય. ઈફેક્ટ પરિણામો આ ભવનાં જ કહેવાય. પણ જે પરિણામ આવે ને તેનું કૉઝ હોય. એટલે ‘પરિણામ શું છે તેના પરથી કૉઝ પકડી શકાય. દાદાશ્રી : જ્ઞાતા-દ્રષ્ટાપણું જાગૃતિના આધીન છે, બુદ્ધિના આધીન નથી. જગત બુદ્ધિના આધીન છે. બુદ્ધિ ને જાગૃતિ બે જુદી વસ્તુ છે. જાગૃતિ છેવટે પૂર્ણ થાય ત્યારે કેવળજ્ઞાન કહેવાય. પ્રશ્નકર્તા : જેમ આ ટેપરેકર્ડ બધા અવાજોને વીતરાગ ભાવે ગ્રહણ કરી શકે છે, એવું જેમ જાગૃતિ વધતી જાય, તેમ તેમ પ્રત્યેક પર્યાયોને જોઈ શકે એવું બને ? દાદાશ્રી : બધું જોઈ શકે. જાગૃતિ જ આત્મા છે. કૉઝ, ઈફેક્ટ તે ઈફેક્ટની ઈફેક્ટ ! પ્રશ્નકર્તા : જે આપની વાણી ટેપરેકર્ડમાં નીકળે છે, પણ એ જ્યારે નીકળે છે, તે વખતે અંદર જે ઉપયોગ-જાગૃતિ હોય, કેટલા બધા વ્યુ પોઈન્ટમાં ફરી વળીને નીકળતી હોય ને ? એટલે હજુ ગયા ભવનાં બીજા કૉઝીઝ છે ને એ તો આ ભવમાં આવવાનાં. પણ આજે પરિણામ છે ને, એ એનાં જ મા-બાપ છે. આ પરિણામનાં મા-બાપ કોણ ? એ કૉઝીઝ જ. એટલે આ પરિણામ જે છે, એ પરિણામને જ આપણે જોઈએ છીએ ને ? પ્રશ્નકર્તા : ૧૯૫૮માં આપને જ્ઞાન પ્રગટ થયું. એ..... દાદાશ્રી : ‘અનંત અનંત ભાવભેદથી ભરેલી, અનંત અનંત નય નિક્ષેપ પ્રમાણી.” બધાં પ્રમાણ એ બધું અહીં આવી જાય. પ્રશ્નકર્તા : અત્યારનું તો આપની ઉપયોગ જાગૃતિ હોય. પણ એ જ્યારે ટેપ થઈ તે વખતે પણ એવી જ ઉપયોગ જાગૃતિ હશે ? દાદાશ્રી : એ ય બધું રૂપકમાં આવ્યું કહેવાય ને પેલું કૉઝીઝમાં હોય. રૂપક ચાલ્યા કરે છે અને કૉઝીઝ થઈ ગયેલાં છે. પ્રશ્નકર્તા : આ કૉઝીઝ થયાં છે ક્યારે ? દાદાશ્રી : પાસ આપણે હમણે થયા, એ ક્યારે પરીક્ષા આપી, તે આપણે શી જરૂર ? પ્રશ્નકર્તા : અનુભવ ૧૯૫૮માં પ્રગટ થયો ને.... દાદાશ્રી : એ '૫૮માં પ્રગટ થયો પણ કૉઝીઝમાં થઈ ગયેલો હતો. પરીક્ષામાં પાસ થયા એટલે કો’ક જાણે કે પાસ થયા. તો પરીક્ષા આપેલી હોવી જોઈએ. ક્યારે પરીક્ષા આપી એ જોવાનું ના હોય. કારણ કે કૉઝીઝ દાદાશ્રી : તેનું જ ફળ ને ? છતાં તેમાં ભૂલવાળી હોવાનો સંભવ. એવું બને. એટલા માટે આપણે જોવું પડે આજે કે કરેક્ટ છે કે નહીં તે. પ્રશ્નકર્તા : એટલે એ ગયા ભવમાં એટલી ભૂલવાળી હશે ?
SR No.008876
Book TitleVani No Siddhanta Granth
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size91 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy