________________
વાણીનો સિદ્ધાંત
૧૦૯
૧૧૦
વાણીનો સિદ્ધાંત
બોલી શકે. એકલાં દાદા ભગવાન જ બોલી શકે.” કોઈ એવું બોલે તો ય એ શબ્દો કામ જ ના લાગે !
પ્રશ્નકર્તા : તમે આ જે બોલ્યા કે વર્લ્ડમાં કોઈ ના બોલી શકે. દાદા ભગવાન જ બોલી શકે. આ એક પ્રકારનો અહંકાર ગણાય ને ?
દાદાશ્રી : ના, એ દાદા ભગવાનનો અહંકાર નથી. આ તો રેકર્ડનો અહંકાર છે. દાદા ભગવાન તો આમાં જુએ છે તે જાણે છે. કે આ શું બોલ્યા તે ? એટલે એમનામાં તો અહંકાર હોય જ નહીં ને જરાય ! અને આ રેકર્ડનો અહંકાર છે. એ અહંકાર કેવો હોય ? કડક દેખાય, પણ અહંકાર ના હોય. શબ્દો કડક દેખાય ને અહંકાર ના હોય.
આ જગત આખું ઊઘાડી આંખે ઊંઘે છે, એક જ્ઞાની પુરુષ જ જાગૃત હોય. એટલે એમને કેમ ખબર ના પડે કે અહીં આગળ અહંકાર થયો કે શું થયું ? બહુ જાગૃત હોય.
પ્રશ્નકર્તા : પણ અમને તો અહંકાર દેખાય છે ? દાદાશ્રી : તમને દેખાય, તો મેં ફોડ પાડ્યો.
મેં પહેલેથી કહ્યું છે કે આ બોલે છે, તે હું નથી બોલતો અને આ ટેપરેકર્ડ બોલે છે. એટલે આ રેકર્ડનો અહંકાર છે. રેકર્ડ અહંકાર કરી શકે નહીં. પણ રેકર્ડનાં કડક શબ્દો હોય છે અને કડક શબ્દ વગર જગત સીધું ના રહે. આ રેકર્ડ તો એવી નીકળે છે કે વર્લ્ડ આમ અજાયબ થઈ જાય !
તો જ જોઈતે બોલાય ! પ્રશ્નકર્તા : નફા-ખોટ માટે રસ્તા દેખાડે છે, દ્વન્દ્રો ઊભા કરે છે, પ્રશ્નો ઊભા કરે છે, પણ એ ઊભા કરે છે એવું જે બોલ્યું, એ અંતઃકરણનો ક્યો ભાગ કહેવાય ?
દાદાશ્રી : એ તો શબ્દો બોલાય છે. પ્રશ્નકર્તા : નહીં, પણ અંદર તો સ્થળ મન બોલે છે ને ? દાદાશ્રી : નહીં, એ બુદ્ધિથી ઊભા થાય છે. બુદ્ધિ ઊભા કરે છે
એટલે થાય છે. આપણે શબ્દ બોલીએ છીએ, ઊભા થવું એટલે કંઈ આમ માણસ ઊભો થાય (!) એવું નહીં. પણ એ બુદ્ધિમાંથી ઉત્પન્ન થાય છે.
પ્રશ્નકર્તા: ‘એ ઉત્પન્ન થાય છે' એવું આપને દેખાય છે ને આપ કહો છો.
દાદાશ્રી : હા. પણ જે દેખાય ને એ કહે. તે બીજાને દેખાય નહીં ને ? એટલે એવું કહેવું પડે કે બુદ્ધિથી આ ઊભા થાય છે કે ઉત્પન્ન થાય છે.
પ્રશ્નકર્તા હું જે સમજ્યો છું કે નિચેતન મન જુદું છે અને આપને જે દેખાય છે એ ચેતન મન માનું છું.
દાદાશ્રી : આ બહુ જુદી વસ્તુ છે. આને એવો ભેદ પાડવો નહીં. પ્રશ્નકર્તા: ત્યારે તમે એને પ્રજ્ઞા કહો છો. દાદાશ્રી : પ્રજ્ઞા જ છે. બીજું કશું નથી. પ્રશ્નકર્તા : પ્રજ્ઞા, એ ચેતન ભાગ થયો ને ?
દાદાશ્રી : પ્રજ્ઞા ચેતન ભાગ છે. એટલે તો જ દેખાય, એ પોતે જ આત્માનો ભાગ છે. એટલે આ જે ચિત્ત અશુદ્ધ થઈ ગયું હતું, જે છૂટું પડ્યું છે આત્મામાંથી, તે જ પોતે શુદ્ધ થઈને ત્યાં પ્રજ્ઞા તરીકે કામ કરે છે. તો જ જોઈને બોલાય. નહીં તો જોઈને બોલાય નહીં ને ! અને જોઈને બોલે ત્યારે જોખમદારી ના હોય.
પ્રશ્નકર્તા : જોઈને બોલનાર છે ને, એને ઢાંકવું હોય, સંતાડવું હોય, વાંકુંચૂકું બોલવું હોય તો ય ના બોલાય.
દાદાશ્રી : ના જ બોલાય. શી રીતે એવું બોલાય ? ‘જેમ છે એમ’ કહી દેવું પડે ને. નહીં તો ય બહાર વાંકું પડે ને ! જોઈને બોલું, એ એનાથી જુદું કરવા જાઉં તો પછી બહારવાળા સમજે કે આ જુદું આવ્યું. આ ન્જોય કરેકટ. ભલે ને સાધારણ બોલતાં ના આવડે. પણ સમજતા તો આવડે ને કે આ જોઈને બોલ્યા છે કે આ જોયાની બહારનું છે.
પ્રશ્નકર્તા જોઈને બોલતો ના હોય, એને તો ઈઝિલી પકડી લેવાય.