________________
વાણીનો સિદ્ધાંત
૮૫
[૨] વીતરાગ દશા, વાણી વખતે..
પ્રશ્નકર્તા : ફાયદો ઉઠાવીએ.
દાદાશ્રી : એટલે આ વાણી એ ટેપરેકર્ડ છે, એ વાત બહાર પાડવામાં જગતને ફાયદો છે. અને એક દહાડો દુનિયા એવું ય સમજતી થશે કે માણસ બોલી શક્તો નથી, આ તો ટેપરેકર્ડ બોલે છે. જ્ઞાનીનો એક જ શબ્દ જે સાંભળને, તેનો પણ મોક્ષ થાય, એવું આ જ્ઞાન છે.
શબ્દ શબ્દતો ઑલ પૂફ આપે તે જ્ઞાતી !
જો જ્ઞાની પુરુષ બોલે છે તે ટેપરેકર્ડ છે, તો બીજા શું જાતે બોલ્યા ? એના પરથી આપણે ના સમજી જઈએ ?! એટલે આ બધી બહુ ઝીણી વાતો છે. આવી વાતો શાસ્ત્રમાં ય ના હોય, પુરાણમાં નથી કહ્યું, વેદાંતમાં નથી કહ્યું. આ બધા ફોડ જ્ઞાની જાણે.
કેટલાંક મને કહે છે કે, ‘તમે આ વાણીને ટેપરેકર્ડ કહો છો, તે મોટી જોખમદારી લો છો.’ મેં કહ્યું, ‘જોખમદારી નહીં, પણ એક્કેક્ટ બોલી રહ્યો છું.' જોખમદારી તો કોઈ માણસ લે જ શી રીતે ? મને કહે છે કે, “આ ટેપરેકર્ડ છે એવું ના કહો ને ! એ વાત કહેવાની બંધ રાખો ને ! ના બોલો તો સારું.” કહ્યું, ‘અત્યાર સુધી હકીકત વાત જ બહાર નથી પડી, ને નથી પડી ત્યારે તો આ કહું છું અને તે રોફભેર કહું છું. આવો મારી જોડે રહીને પુરવાર કરી આપું, છ મહિનામાં.’ પુરવાર તો કરવું જ પડે ને, જે બોલ્યા એ તો ?! અને હું તો કહું છું કે “આ જે બધું બોલાયું છે અત્યાર સુધી, અઠ્ઠાવીસ વર્ષથી, તેના એકેએક શબ્દનું પ્રૂફ આપવા હું તૈયાર છું, એટ એની ટાઈમ.... કારણ કે આ વોટરપ્રૂફ કે ફાયરપ્રૂફ ન હોય આ ! ઓલ પૂફ છે આ !!
આ ‘વાણી એ ટેપરેકર્ડ છે” એ ખૂફ થશે ને, ત્યારે બધો ઉકેલ આવી ગયો. પણ આ વાત સંસાર આખાને માટે કામની નથી, મોક્ષમાર્ગીને માટે કામની છે. અને મોક્ષમાર્ગી ગૂંચાયા છે આને લઈને, સાચી હકીકત નહીં જાણવાને લઈને !!
મૂળ પદાર્થ, પણ તવી ફોર્મ્યુલામાં ! પ્રશ્નકર્તા : આપે જે અક્રમ વિજ્ઞાન બતાવ્યું છે, એ કોઈ વેદાંત કે જૈનોના શાસ્ત્રોમાં કોઈ ઠેકાણે જોવામાં આવ્યું નથી.
દાદાશ્રી : એ હોય નહીં. આ નવી ફોર્મ્યુલા છે. આજના આ કળિયુગમાં જો નવી ફોર્મ્યુલા ના હોય તો કોઈ માણસ આને પહોંચી જ ના શકે. ફોર્મ્યુલા નવી છે, પણ આત્મજ્ઞાનનો પ્રકાશ તેનો તે જ છે. અને આવું ના હોય તો પહોંચી વળે નહીં ને ! પાછું મનને સમાધાન રહે. બુદ્ધિ ચૂપ થઈ જાય. બુદ્ધિ બોલતી બંધ થાય, વિકલ્પ કરતી બંધ થઈ જાય. અક્રમ વિજ્ઞાન બુદ્ધિને ગાંઠતું નથી. આ મોટી અજાયબી કહેવાય ને ! બધા જ્ઞાન બુદ્ધિને ગાંઠે. બુદ્ધિ અને તોડી નાખે, હંકે ! દરેકના જ્ઞાનને બુદ્ધિ તોડી નાખે. પણ અક્રમ વિજ્ઞાન બુદ્ધિને ગાંઠતું જ નથી. એ બહુ અજાયબી છે આ ! અને સિદ્ધાંતરૂપે છે આમ. જરા ય કોઈ જગ્યાએ વિરોધાભાસ ના હોય. અઠ્ઠાવીસ-અઠ્ઠાવીસ વર્ષથી વિરોધાભાસ જોયો નથી. એક શબ્દ કે અમારો વિરોધાભાસ નીકળ્યો નથી.