________________
વાણીનો સિદ્ધાંત
કામનો શું ? એને ભગવાન કેમ કહેવાય ?! ગરજુ તો આ લોક હોય, જે દુઃખી હોય તે. ભગવાનને શી ગરજ બોલાવવાની, પીપૂડીઓ વગાડવાની ? એટલે જે ભગવાન છે, એ બોલે ય નહીં ને બોલાવે ય નહીં.
તો વીતરાગ તા કહેવાય !
પ્રશ્નકર્તા ઃ તો વીતરાગ બોલે છે ? એવું કહી શકાય ?
દાદાશ્રી : વીતરાગ જો બોલે ને, તો વીતરાગ રાગી કહેવાય. પ્રશ્નકર્તા : નિઃસ્પૃહ બોલે છે.
દાદાશ્રી : નિઃસ્પૃહ બોલે તો હાવાળા છે એ, એવું લાગે. એ તો સ્પૃહાવાળો હોય તે બોલે.
૫
પ્રશ્નકર્તા : આત્મા પ્રાપ્ત હોય, તે પુરુષ બોલે છે.
દાદાશ્રી : તે ય રાગી કહેવાય. શું રાગથી આ બોલી રહ્યા છો ? અત્યારે તમારો રાગ છે, તો તમે સરાગી છો અને સરાગી છો, તો વીતરાગ શી રીતે કહેવાય ?
એને જ્ઞાતી ના કહેવાય !
પ્રશ્નકર્તા : તો જ્ઞાની જ વાત કરે છે, એ નક્કી !
દાદાશ્રી : તો તો પછી હું ઊઠીશ ને, એટલે આ ય (ટેપ મશીને ૫) આવી વાત કરશે. હું ઊઠીશ એટલે આ ય એવી વાત કરે કે ના કરે ? મારા જેવી વાત કરે ને ? તો તો એ ય જ્ઞાની જ કહેવાય ને ?!
દાદા ભગવાત બોલે નહીં !
દાદાશ્રી : અંધારામાં બેસનાર તો એવું જ જાણે ને, કે દાદા ભગવાન બોલી રહ્યા છે ? અગર તો જોડેવાળાની રૂમવાળાને તો એમ જ લાગે ને, કે આ દાદા ભગવાન બોલી રહ્યા છે ?
પ્રશ્નકર્તા : હા.
વાણીનો સિદ્ધાંત
દાદાશ્રી : તો આ ટેપરેકર્ડ બે હજારનું અને દાદા ભગવાન બે હજારના(!) ?! દાદા ભગવાનની બે હજારની કિંમત જ થઈ ગઈ ને ? દાદા ભગવાનની કિંમત કરી નાખીને, લોકોએ ?
પ્રશ્નકર્તા : દાદા ભગવાન બે હજારના નહીં.
દાદાશ્રી : હા, ભગવાનની કિંમત હોય નહીં. આખી દુનિયા વેચીને પૈસા ભરીએ તો ય ભગવાનનો એક આંકડો પૂરો ના થાય ને જેનું વેલ્યુએશન થઈ જાય, એ ચેતન હોય.
એટલે આ તમારી સાથે બોલી રહ્યા છે, એ દાદા ભગવાને ય નથી બોલતા અને હું ય નથી બોલતો.
બોલે, તે પરમાત્મા ત હોય !
પ્રશ્નકર્તા : એક દોહામાં એવું આપ્યું છે કે બોલે એ પરમાત્મા પોતે જ, બીજો નહીં.
દાદાશ્રી : તો તો સારું બોલે તે ય એ ? અને ગાળો બોલે તે ય એ હોય, તો એ બોલે એનો તમને માર શાનો પડે ?! બોલે એ ને લોક તમને મારવા ફરી વળે. ‘કેમ મને ગાળો દે છે ?' એ બોલતો હોય તો એને માર પડે.
આવી ઊંધી સમજણ, આ આનું આ જ બધું ગા ગા કર્યું છે ! એ તો સહુ સહુની સમજણ પ્રમાણે દોહા આપે. ત્યાં આગળ સર્ટિફાઈડ કરેલો છે એકુંય શબ્દ ? સર્ટિફાઈડ કરેલો હોવો જોઈએ શબ્દ. બધા બોલ્યા, એ સર્ટિફાઈડ થઈ ગયું ? એટલે આપણો આત્મા કબૂલ કરવો જોઈએ. એમ પોલંપોલ ચાલતું હશે ?
હોય તહીં, આત્માતે અવાજ !
પ્રશ્નકર્તા : આત્માના અવાજ ઉપરથી બધું ચાલે છે, એવું જે કહે છે, એ શું છે ?
દાદાશ્રી : આત્માનો અવાજ કેવો હોય ? જાડો હોય કે ઝીણો ?