________________
વાણીનો સિદ્ધાંત
૪૧૯
૪૨૦
વાણીનો સિદ્ધાંત
હું નાનપણથી સમજી ગયો હતો, કેટલું ભયાનક વાક્ય છે ‘જો-તો'! એ વાક્ય એ અહંકારનો ફોટો છે. શું કોઈ રીત હેલ્પ કરતું નથી.
બધી વાતો બીજે ક્યાં સાંભળવા મળે ?
દાદાશ્રી : તે આવી વાતો સાંભળે ત્યારે જ મનમાંથી બધો રોગ નીકળી જાય. જે અનાદિકાળનો સંસારરોગ છે ને, પાછો ક્રોનિક થયેલો છે. તે આવું કહીએ ત્યારે ક્રોનિકપણું તૂટી જાય અને આ તો વિજ્ઞાન છે ખાલી ! વિજ્ઞાન સમજી લેવાનું છે. આમાં શું કરવાનું નથી, સમજવાનું જ છે.
અસરો, તારા લગાડાતી ! આ ‘સચ્ચિદાનંદ' શબ્દ બોલવાથી ઘણી ઈફેક્ટ થાય છે. સમજ્યા વગર બોલે તો ય ઈફેકટ થાય છે. સમજીને બોલે તો તો ઘણો લાભ થાય. આ શબ્દો બોલવાથી સ્પંદનો થાય છે ને બધું વલોવાય છે. બધું સાયન્ટિફિક છે.
બાકી જ્ઞાની પુરુષ એકલાં જ માનસિક અસરથી જગત ઉપર ફરી વળે. આ ભ્રષ્ટાચાર વિરુદ્ધ પદો એક લાખ માણસ વાણીથી બોલે ને, તો ભ્રષ્ટાચાર તૂટવા જ માંડે. આ બધું તેથી ગા ગા કરવાનું ને ! એટલે પછી આ ભ્રષ્ટાચારનાં જે ઝાડ છે ને, તે બધાં પાંદડા-બાંદડાં સુકાવા માંડે. ખાલી આટલું જ સાયન્સ છે. એ ઝાડને શું કાપવાની જરૂર નથી. શુદ્ધભાવે વાણી નીકળી, તે કામ કર્યા કરે. માનસિક તો લોકો કરી શકે નહીં. એ જ્ઞાની પુરુષ એકલાનું જ કામ છે. બાકી, સામાન્ય જનતા તો વાણીની જ અસર કરી શકે. એટલે ભ્રષ્ટાચાર વિરોધીના પદો ગા ગા કરો એટલે બધાં પરમાણુ ફર્યા જ કરે છે અને વર્લ્ડમાં એને જ્યારે, હજાર વર્ષ પછી કોઈ પકડનારો હોયને સાયન્ટિફિકલી, તો પકડી શકે પાછાં એ શબ્દો. એવું આ જગત છે.
એ ખપે ડિક્ષનેરીમાં ! ‘જો આમ થાય, તો આમ એ “જો-તો’ વાળા વાક્ય આપણે ત્યાં માઈનસ કરેલા છે. ‘આમ થાય, તો આમ’ એ બધું વેસ્ટ ઓફ ટાઈમ એન્ડ એનર્જી છે. એ બબુચક લોકોનાં વાક્ય છે. જેને સંસાર પણ સમજ પડતો નથી, તેનાં વાક્યો છે. આમ કર્યું હોત તો આમ થાત.” અલ્યા, જે થયું તેને ગા ગા કરને ! આ કંઈથી લાવ્યો છે ? સંસારમાં ય કોઈ આવું ના વાપરે.
બોલે તેવું થઈ જાય ! પ્રશ્નકર્તા : કોઈ એક કામ કરતા હોઈએ અને એમાં એમ થાય કે આ નથી કરવું ?” તો એનાં શું પરિણામ ?
દાદાશ્રી : પેલો મારીને બેસાડે તો કરવું પડે. કરાર હોય એવો તો મારીને બેસાડે પેલો.
પ્રશ્નકર્તા : આ બોલ્યા, એનું શું ફળ આવે ? દાદાશ્રી : માર પડે. કરાર હોય ને આપણે આવું બોલ્યા. પ્રશ્નકર્તા: માર એટલે શું? સફીકેશન થાય ?
દાદાશ્રી : ‘બેસને, નહીં તો આપું છું કહેશે. ક્યા કામોની વાત કરો છો ?
પ્રશ્નકર્તા : કોઈ એક કામ કરતા હોય ને પોતે કહે “હવે આ કામ નથી કરવું.” તો એનું ફળ શું આવે ?
દાદાશ્રી : પછી મોડેથી કરવું પડે. કરાર હોય તો કરવું પડે. એ તો છૂટકો જ થાય નહીં ને !
પ્રશ્નકર્તા : પાછો થોડા વખત પછી કહે કે, ‘આ કામ મારે કરવું જ જોઈએ.’
દાદાશ્રી : એ તો કરે જ. પણ એ મૂડમાં ના હોય તો છોડી દે, ને પછી મૂડ આવે ત્યારે કરે પાછો. મૂડ ના જોઈએ ? મૂડની જરૂર ખરી કે નહીં ?
પ્રશ્નકર્તા : હા, એટલે બોલવાની અસરો થાય ખરી ને ? દાદાશ્રી : બોલવાની તો બધી બહુ અસરો થાય. જેવું એ બોલે ને,