________________
વાણીનો સિદ્ધાંત
૩૩૫
૩૭૬
વાણીનો સિદ્ધાંત
પ્રશ્નકર્તા : રિયલ-રિલેટિવ એટલે શું ?
દાદાશ્રી : રિલેટિવમાંથી રિયલમાં જવા માટેનો વચલો આંકડો. કારણ કે રિલેટિવ નિર્લેપ છે અને રિયલે ય નિર્લેપ છે. બન્નેય નિર્લેપ. અનાત્મા ય નિર્લેપ. બેનો આંકડો જોઈએ ને ? આ બધું રિલેટિવ એટલે વિનાશી છે. પેલું અવિનાશી-વિનાશી !
આપો છો ?
દાદાશ્રી : પરાવાણીથી. પ્રશ્નકર્તા : પરાવાણી કોને કહેવાય ?
દાદાશ્રી : પરાવાણી આ બોલે છે તેને, આજે સાંભળો છો ને તમે, એ પરાવાણી કહેવાય. દુનિયામાં પરાવાણી કોઈ જગ્યાએ હોય નહીં. પરાવાણી જે વાણીનો માલિક ના હોય તેની પાસે હોય. આ બોલે છે ને, એનો માલિક કોઈ નથી.
પ્રશ્નકર્તા: તો આ કોણ બોલે છે ?
દાદાશ્રી : એ બોલે છે એ જ જોવાનું છે ! એનો માલિક ખોળી કાઢવાનો, હું બોલતો નથી . હું તો જ્ઞાતા-દ્રષ્ટા છું , આ વાણી બોલનારાને ખોળી કાઢો હવે ! આજ પરાવાણી પહેલી વખત સાંભળી. એ તો સાંભળે ત્યાં જ કલ્યાણ થઈ જાય. જો પાંસરો બેસે તો, નહીં તો ઉડી ય જાય. જો વાંકું-બાકું મહીં ચિતર્યું. અમે તો એને કહીએ કે સીધો બેસજે અહીં આગળ, એવું ચેતવીએ એને. પછી જ્યારે ચેતે નહીં તો વિનંતી કરીએ, કે ‘ભઈ, પાંસરો બેસજે. ચારસો વોટ પાવર છે.’ તેમ છતાં ય એ ના ચેતે તો પછી એનું જાય. એને આ કહી છૂટીએ.
અને આ રોકડું છે તો બધા પામ્યા છે. નહીં તો કોઈ પાસે નહીં. કો’ક માણસ એવો નીકળી આવે, એ તો રોકડું ના હોય તો ય ઓળખી જાય કે આ શું વાણી છે !
‘રિયલ'માં જવાતો સાંધો ! બાકી આ સંસારમાં, વ્યવહારમાં ભગવાનસંબંધીની વાતો ચાલે છે તે બધી કલ્પનાઓ છે. કલ્પનાની બહાર એકુંય શબ્દ નથી. એક જ્ઞાની પુરુષની, તે ય બુદ્ધિ વગરના જ્ઞાની પુરુષની જે વાણી હોય છે તે માલિકી વગરની વાણી હોય, તે કલ્પના બહાર છે. તો ય પણ રિયલ-રિલેટિવ. રિયલમાં બીજું હોય જ નહીં.
- આ વાણી છે ટેપરેકર્ડતી ! ભગવાનને ત્યાં કશું કરવાનું નથી. ‘વસ્તુ’ સહજ છે, સરળ છે, સુગમ છે. પણ પ્રાપ્તિ દુર્લભ છે. પ્રાપ્તિ કેમ દુર્લભ છે ? કારણ કે પ્રાપ્ત કરાવનાર એવાં પુરુષ અત્યંત અત્યંત દુર્લભ, દુર્લભ, દુર્લભ, દુર્લભ હોય છે. કો'ક ફેરો એવાં પ્રાપ્તિ થયેલા પુરુષ એ જાતે આવે, તો એમના નિમિત્તથી બધું જ થઈ જાય છે. એ પુરુષ નિષ્પક્ષપાતી હોય. જૈનોને ય પ્રિય લાગે, વેદાંતીઓને ય પ્રિય લાગે. મુસ્લિમોને, અંગ્રેજોને, આ ફોરેનવાળાને ય પ્રિય લાગે. આ કરવું – ના કરવું એનાં પુણ્યને આધીન છે, પણ એ કહેશે કે આ એક્ઝક્ટ છે વાત.
મારી વાણી એ જ મૂર્છા ! પ્રશ્નકર્તા : કોઈ માણસ વાણી બોલ્યો તો કહે, ‘હું બોલ્યો હતો. અને દાદા કહે છે કે હું એવું નથી માનતો કે ‘હું બોલ્યો હતો.’ આ ટેપરેકર્ડ બોલે છે. પણ એમાં કરેક્ટનેસ ક્યાંથી આવી જાય ? એ શું વસ્તુ છે ?
દાદાશ્રી : ‘હું બોલ્યો હતો’ કહે છે, એટલી આવરણવાળી વાણી હોય. એટલે ચોખવટ ના હોય એમાં. એ એક્કેક્ટનેસ ના બતાવે અને ‘આ’ એઝેક્ટનેસ બતાવે. આ નિરાવરણ વાણી છે ને, એટલે પ્યૉર છે.
આ લોકોને મન-વચન-કાયાની મૂર્છા છે. ‘મારું શરીર, મને પગ દુ:ખે છે, આમ દુ:ખે છે', કહેશે. એ બધી શરીર પર મૂર્છા જ છે. હવે આ મન-વચન-કાયાને કાઢી નાખવાના નહીં અને એ નીકળે ય નહીં. આ તો “મારાપણાની’ મૂર્છા છોડવાની છે. ભગવાન તો શું કહે છે ?