________________
વાણીનો સિદ્ધાંત
૩૫૧
૩૫ર
વાણીનો સિદ્ધાંત
પ્રશ્નકર્તા : વાણી આંશિક હોવાને લીધે સમગ્રદર્શન કરી શકતી નથી, એ આંશિક દર્શન છે.
દાદાશ્રી : હા. સમગ્ર જ કહ્યું તો તો કામ જ થઈ જાય ને !
તીર્થકર ભગવાનની સ્યાદ્વાદ વાણી હતી અને આ લોકો શું કહે છે ? અમારું સાચું ને તમારું ખોટું ! એ બધું સાદુવાદ વાણી નહીં. એકાંતિક કહેવાય એ આગ્રહ કહેવાય, દુરાગ્રહ કહેવાય.
એટલે આ તો નગ્ન સત્ય બોલીને ઊભા રહે, હડહડાટ.... વીતરાગોનું સ્વાસ્વાદ સમજે તો કશું સમજવાનું બાકી રહેતું નથી. કારણ કે વીતરાગ એટલે કંઈ લેવાદેવા કોઈની જોડે છે જ નહીં એવા પુરુષનું સ્યાદ્વાદ.
સ્યાદ્વાદના પ્રકાર ! એક મહારાજ જોડે મેં વાતચીત કરી હતી. મારા અભિપ્રાયનાં પ્રમાણ જ નહોતા દુભાતા, એને સાદ્વાદ કહે છે. એ એક પ્રકારનું સ્યાદ્વાદ છે. પણ વ્યવહારિક સ્વાવાદ કહેવાય છે. પણ ભગવાનનું સાવાદ તો ના હોય એ.
પ્રશ્નકર્તા : વ્યવહારિક સ્યાદ્વાદ એટલે ?
દાદાશ્રી : વ્યવહારની વાતોમાં એવું સરસ-સુંદર તમને આમ ફીટ થાય એવું બધું બેસાડી આપે. તમારા મતને તોડે નહીં એવી રીતે.
પ્રશ્નકર્તા : એ બહુ ઓછા હોય.
દાદાશ્રી : પણ છે એવા. એને એ લોકો સાદ્વાદ માને છે. પણ હું તો એને સાદુવાદ એક્સેપ્ટ કરું નહીં ને. સમકિત થયા વગર આને સ્યાદ્વાદ કહેવાય નહીં.
આ સ્યાદ્વાદ એક અંશ પણ જગતે સાંભળ્યો નથી. મહાવીર ભગવાન ગયા પછી સ્યાદ્વાદ સાંભળવાનો મળ્યો હશે તો આપણા જે કુંદકુંદાચાર્યના વખતમાં અને કંઈક રૂપિયે બે આની ચાવાદ સાંભળવા
મળ્યો હોય તો કૃપાળુદેવના વખતમાં !
પ્રશ્નકર્તા : ત્યાં સ્યાદ્વાદ નથી, બીજું બધું છે.
દાદાશ્રી : આ દાદા પાસે સંપૂર્ણ સાદુવાદ નથી, તો બીજે તો સ્યાદ્વાદ તો હોય જ નહીં ને ! એટલે સ્વાવાદ એ આપણે આશા જ શું કરવા રાખીએ ? આ સ્યાદ્વાદ તો આ દાદા પાસે કંઈક દેખાય. આ સાધુઓને સ્યાદ્વાદ છે, પણ તે સામાજિક સ્યાદ્વાદ છે.
બે પ્રકારના સ્વાવાદ, એક બુદ્ધિ સ્વાવાદ અને એક જ્ઞાન સ્યાદ્વાદ. જો જ્ઞાન આપવાદ હોય તો એનું ચારિત્ર એ વીતરાગ ચારિત્ર. અને બુદ્ધિ સ્યાદ્વાદ હોય છે, પણ એ સંપૂર્ણ સ્યાદ્વાદ હોતું નથી, પણ સાવાદ જેવાં લક્ષણો લાગે આપણને. અત્યારે કેટલાંય આચાર્ય એવા છે કે જે બુદ્ધિ સ્યાદ્વાદ જેવી વાણી બોલે છે. પણ એ સાદુવાદ બધે ટકે નહીં અને જ્ઞાન સાલ્વાદ બધે ટકે. પછી મુસ્લિમ ધર્મનો હોય કે ગમે તે ધર્મનો હોય, પણ જ્ઞાન આાવાદ બધે ટકે. અને બુદ્ધિ સ્યાદ્વાદ તો પક્ષ પૂરતું જ હોય. બીજા પક્ષની વાત કરે, ત્યાં એ સ્યાદ્વાદ બોલે ખરાં પણ વર્તનમાં ના આવે. એટલે વાણી ખેંચાયેલી હોય.
લબ્ધિ સ્યાદ્વાદ વાણી તણી ! ‘જ્ઞાની પુરુષ'ની વાણી ઉલ્લાસભેર સાંભળ સાંભળ કરે તેથી તેવી વાણી થતી જાય. ખાલી નકલ કરવાથી કશું વળે નહીં.
પ્રશ્નકર્તા: સ્વાવાદ વાણી ક્યારે નીકળે?
દાદાશ્રી : બધા જ કર્મોનો ક્ષય થાય. ક્રોધ-માન-માયા-લોભનો ક્ષય થાય ત્યારે સ્વાવાદ વાણી નીકળે. આખું વીતરાગ વિજ્ઞાન હાજર થવું જોઈએ. આત્માનો સ્પષ્ટ અનુભવ થયો હોય તો જ એ નીકળે. ત્યાં સુધી બધી બુદ્ધિની વાત, વ્યવહારની વાત ગણાય. સ્વાદુવાદ વાણી ના નીકળે ત્યાં સુધી મોક્ષમાર્ગમાં ઉપદેશ આપવો એ ભયંકર જોખમદારી છે.
સ્યાદ્વાદ વાણી ક્યારે ઉત્પન્ન થાય ? અહંકારની ભૂમિકા પૂરી થાય ત્યારે. જગત આખું નિર્દોષ દેખાય, કોઈ દોષિત દેખાય જ નહીં ! ચોર