________________
૨૯૮
વાણીનો સિદ્ધાંત
વાણીનો સિદ્ધાંત
૨૯૯
ઇચ્છાપૂર્વક નહીં. કોઈને કરવું ના પડે અને તે નીડરતાથી નીકળ્યા કરે, કોઈ ડર-બર કશું નહીં.
પ્રશ્નકર્તા : તે વખતે સાંભળવાવાળું કોઈ હોય ખરું ?
દાદાશ્રી : હા. બધું ભેગું થયેલું હોય. તીર્થકરને કેવળજ્ઞાન થયા પછી દેવલોક સમવસરણ રચે અને તે ઘડીએ આ વીતરાગ ભગવાનની વાણી દેશના રૂપે નીકળ્યા જ કરે અને તે બધા પોતપોતાની ભાષામાં સમજી જાય. એ બધા લોકો ભેગા થયા પછી ભગવાનની દેશના નીકળ્યા જ કરે. એનો ઉદય હોય એટલો કાળ એ દેશના થઈ અને પછી પૂરી થઈ જાય.
પ્રશ્નકર્તા: તીર્થકર ભગવાનની જે દેશના સાંભળતા હતા, એમાં તો બધાંને દર્શન થયેલાં, ને જેણે દેશના સાંભળેલી, એ બધા મોક્ષે જાય ? દાદાશ્રી : હા, ઘણાં ખરાં મોક્ષે ગયેલા.
દેશતા સમજરૂપે ! પ્રશ્નકર્તા : દેશના એટલે આમ આજ્ઞારૂપે હોય ?
દાદાશ્રી : ઉપદેશ આજ્ઞારૂપે હોય. દેશના સમજરૂપે હોય. તમે સમજો. છતાં અમારી આજ્ઞા ઉપદેશરૂપે નથી, દેશનારૂપે છે. કહેવાય ફક્ત આજ્ઞા, એટલું જ બાકી છે દેશનારૂપે !
આપી શકાયે ય નહીં. આજ્ઞા આપવી એ ય ગુનો છે. ઉપદેશે ય ના અપાયને, કષાયી માણસથી !
જોતાર જુદો, બોલતાર જુદો ! દાદાશ્રી : દેશના શબ્દનો અર્થ તમારે ત્યાં શું થાય છે ?
પ્રશ્નકર્તા : દેશના એટલે જે પયંતી, જે સીધી જોવાતી હોય. એને દેશના કહેવાય. એ વાણીવાળા સીધું જોઈને જ બોલતા હોય.
દાદાશ્રી : પણ તે જોઈને બોલતા હોય એટલે જોનાર જુદો અને બોલનાર જુદો ! એટલે એને ટેપરેકર્ડ જ કહેવાય. દેશના કોને કહેવાય છે? તે પોતાને કશું બોલવાપણું હોતું નથી, રેકર્ડ જ બોલે. દેશના એટલે ફેરવી ના શકાય. ટાઈપ થઈ ગયેલી રેકર્ડ નીકળ્યા કરે. દેશનાનું અંગ્રેજીમાં નામ જ ટેપરેકર્ડ.
માલિકીવિહોણી વાણી ! પ્રશ્નકર્તા : બાહ્યધર્મોનાં વલણો ઉપદેશાત્મક છે. દાદાશ્રી : હા, ઉપદેશાત્મક છે. પ્રશ્નકર્તા : અને આપણું ઉપદેશાત્મક વલણ નથી.
દાદાશ્રી : આપણો દેશના માર્ગ. દેશના છે, એટલે ઉપદેશ આપનારો કોઈ નથી. દેશના ! એટલે સ્પિચ વિધાઉટ ઓનર ! ઓનરશીપ નથી સ્પિચની ! એટલે એની વાત જ જુદી ને !
પ્રશ્નકર્તા : એ સ્વયંભૂ વાણી હોય.
દાદાશ્રી : હા. એ સ્વયંભૂ વાણી કે જે કહો તે. એ દેશના કહેવાય. એની મેળે સર્યા જ કરે, નીકળ્યા જ કરે. દેશનાનો માલિક નહીં ને. એ છૂટો જ છે. સાંભળનારો ય છૂટો. કારણ કે દેશના ‘આમ કરો’ એવું ના કહે. અમુક વિષય પર બોલાય એ ઉપદેશ કહેવાય, એવું અમારે ના હોય. અમારામાં ઉપદેશ ના હોય. આદેશે ય ના હોય. અમારામાં દેશના હોય.
અમે તો પાંચ આજ્ઞા આપીએ, તે મહાવીર ભગવાન આપે તેના જેવી આજ્ઞા આપીએ છીએ. આજ્ઞા પાળે ને તો નિરંતર સમાધિ રહેવી જોઈએ એવી અમારી શર્ત હોય. ગમે તે પરિસ્થિતિમાં સમાધિ રહે, એ દાદાની પાંચ આજ્ઞા અને એમાં અહંકાર હોય નહીં ને ! જેનો અહંકાર ના હોય ત્યારે એમની આજ્ઞા પળાય.
આજ્ઞા તો બે જ જણની પળાય. તીર્થકર ભગવાન અને અક્રમ વિજ્ઞાનીની, જેનામાં અહંકાર ખલાસ થયેલો હોય તેની જ પળાય. બીજા કોઈની પળાય નહીં. કષાય ગયેલા હોય તો જ આજ્ઞા પળાય. નહીં તો કષાયી માણસની આજ્ઞા પાળી શકાય જ નહીં અને આજ્ઞા આપનારથી