________________
૨૫૨
વાણીનો સિદ્ધાંત
વાણીનો સિદ્ધાંત
૨૫૩
જેને ખાંડ ના મળે તો અકળામણ થઈ જાય, એ લોકોને આવી રીતે સમજાવાય કે ?
તવા જ શાસ્ત્રો, તવી જ ભાષા ! પ્રશ્નકર્તા: પેલું મિથ્યાત્વ કહે તો સમજણ જ ના પડે અને રોંગ બિલીફ કીધી કે તરત સમજણ પડી જાય.
દાદાશ્રી : હા. આ મિથ્યાત્વ તો લોકોને સમજણ જ નથી પડતું ને. આપણે પૂછીએ કે મિથ્યાત્વ ખરું કે નહીં તમને ? ત્યારે કહે, “ખરું.' તો શેને મિથ્યાત્વ કહો છો ?” ત્યારે એ કહે, ‘આ બધું સિનેમા ને આ બહાર બધું જેટલું છે તે મિથ્યાત્વ જ.’ ‘અલ્યા બહાર છે એ તને શું નડે છે ? તારું મિથ્યાત્વ ત્યાં ક્યાંથી ચાલ્યું ગયું ? એ ચાલીને ત્યાં જતું રહે ? તારું મિથ્યાત્વ તારી પાસે જ છે. તારી જોડે જ સૂઈ રહે છે.” એ તો એવું હું સમજે નહીં કે એ મારી જોડે સુઈ રહેતું હશે કે બહાર જતું હશે ?! એ જોડે સઈ રહેલું દેખાડીએ. ત્યારે કહેશે, કે હા, આ તો બધું મિથ્યાત્વ જ છે !! રોંગ બિલીફ શબ્દ જ હતો નહીં !!
પ્રશ્નકર્તા : આ જબરજસ્ત શબ્દ છે. એટલું બધું સાયન્સ એની પાછળ સમાયેલું છે.
દાદાશ્રી : અને ગુજરાતીમાં બોલીએ તો સ્વાદ ના આવે !! આ ખરે ટાઈમ સાયન્સ આવ્યું છે ! એટલે કંઈ ઓર જ વિજ્ઞાન છે આ ! નવાં શાસ્ત્રો લખે એવી વાત છે આ તો. નહીં તો આટલાં બધાં શાસ્ત્રો, એમાં કયાંથી પાર આવે ? આ તો એક કલાકમાં બધું આખું વિજ્ઞાન સમજી જાય.
પક્ષપાત ના હોય !!
જગત કલ્યાણ અર્થે આ આપ્તવાણી ! આ વાણી અઢાર હજાર વર્ષ સુધી હેલ્પ કરશે. મહાવીર ભગવાનનું જ્યાં સુધી શાસન ચાલશે ત્યાં સુધી રહેશે. પછી બંધ થઈ જાય છે. પછી વાણી ને પુસ્તકો ને મંદિરો બધું બંધ થઈ જાય છે. છઠ્ઠા આરામાં મંદિર છે નહીં કે પુસ્તક નથી. ધડધડા, ધડધડા, ધડધડા, ધડધડા, ધામધડા, કચર, કચર, કચર, કચર, કચર સામસામી ! હજી અઢાર હજાર વર્ષ સુધી ત્યાં મહાવિદેહ ક્ષેત્રમાં, ત્યાં ચોથા આરામાં જઈ શકશે. આ કેવી સુંદર વાણી છે ! માલિકી વગરની વાણી જોયેલી ?
પ્રશ્નકર્તા : ના.
દાદાશ્રી : સાંભળેલી ય નહીં. તે આ માલિકી વગરની વાણી સાંભળો તો ખરાં ?
પ્રશ્નકર્તા : હા.
દાદાશ્રી : આ આટલા હજારો પુસ્તકો આપ્તવાણીનાં બહાર પડ્યા છે ને તે ઉગશે, પચાસ વર્ષે, સો વર્ષે, ત્યારે હિન્દુસ્તાનની બધી જાહોજલાલી થશે. આનાં શબ્દ ઉપરથી બહુ બહુ મોટું મોટું ‘એ' જામશે. આ પુસ્તક તો જેમ જેમ લોકોના જાણવામાં આવશે ને તેમ તેમ એની કિંમત સમજાશે.
પ્રશ્નકર્તા : આપ્તવાણી વાંચતી વખતે ઘણા લોકોને અનુભૂતિ થાય છે. એ પ્રત્યક્ષ જ્ઞાની પુરુષની ઉપસ્થિતિને કારણે છે ? કે આપના ગયા પછી પણ એ પ્રમાણે અનુભૂતિ રહેવાની ?
દાદાશ્રી : એ અનુભૂતિ પછી પણ રહેશે જ. કારણ કે પેલાં જે જ્ઞાન હતા એ ક્રમિક જ્ઞાન હતા. ને ક્રમિક જ્ઞાનમાં ચેતન ના હોય. અને આ વિજ્ઞાન છે. એટલે ચેતનવાળું હોય એટલે અનુભૂતિવાળા હોય. એટલે આ પુસ્તક વાંચે, તે એને દાદા આમ દેખાય, બીજું બધું દેખાય, દાદા બોલતા સંભળાય, પછી એને અનુભૂતિ થાય.
વ્યાખ્યા આપ્તવાણી તણી ! હવે આપ્તવાણી એટલે, એમાં આપ્ત એટલે શું ? કે જે સંસારમાં પણ સર્વસ્વ રીતે વિશ્વાસ કરવા યોગ્ય છે અને મોક્ષમાં જતા ઠેઠ સુધી વિશ્વાસ કરવા યોગ્ય પુરુષ હોય તો જ્ઞાની પુરુષ. એમની વાણી તે આપ્ત વાણી એટલે પછી વાત જ ક્યાં કરવાની !! એ નિષ્પક્ષપાતી હોય. એમાં