________________
૨૩૮
વાણીનો સિદ્ધાંત
વાણીનો સિદ્ધાંત
૨૩૯
તો કામ થાય. કળજુગની અસર થાય નહીં અને મોક્ષે લઈ જાય એવાં શાસ્ત્રો હવે લખાશે. આ ‘સત્ય બોલો, દયા રાખો, શાંતિ રાખો” એ શાસ્ત્રોની વાતો તો જૂની દવા થઈ ગઈ ! હવે તો નવી દવા જોઈએ. આપણે તો નિશ્ચય સાચું બોલવાનો હોવો જોઈએ. પછી ભૂલ થાય તો આપણે ‘ચંદુલાલ” પાસે પ્રતિક્રમણ કરાવવું પડે.
સુધી અવલંબન સ્વરૂપે છે.
દાદાશ્રી : એ વાણીનું અવલંબન ઠેઠ સુધી.
પ્રશ્નકર્તા: આ વાણી છે એની બધી કડીઓ હોય છે. કડી એક એક મણકા જેવી હોય છે. એ જ્યારે પૂરી થાય ત્યારે લાગે કે આ વાત બધી આમ પરફેક્ટ હતી.
દાદાશ્રી : આની વાત જ જુદી ને ! જે વાણીએ સંસારનાં કારખાનાં ચાલે, છોકરાં પૈણાવે ને મોક્ષનો માર્ગ ચાલે, બેઉ સાથે ચાલ્યા કરે.
જ્ઞાનીઓની વાણી નયમાં ઉદાસીન વર્તે છે કે આ નિશ્ચય નહીં કે આ વ્યવહાર નહીં. એમ ને એમ એ વાણી બોલે, તેમ એ નિશ્ચય ને વ્યવહારમાં એઝેક્ટ પરિણામ પામે. ગોખ ગોખ ના કરવું પડે કે આ નિશ્ચય આવ્યું ને આ વ્યવહાર આવ્યું.
આ જે વાણી નીકળે છે ને, તે રિયલ-રિલેટિવ છે. આ જે સ્પિચ નીકળે છે ને તે રિયલ-રિલેટિવ છે. બન્નેનો સાંધો મેળવી આપે છે.
- જ્યારે સંપૂર્ણ અપરિગ્રહી થાય, ત્યારે માણસની છેલ્લામાં છેલ્લી વાણી નીકળે. આ જગતની વાણી તો સાપેક્ષ વાણી કહેવાય અને આ સાપેક્ષ-નિરપક્ષ વાણી છે.
આ અમારા એક એક શબ્દમાં અનંતા અનંતા શાસ્ત્રો રહ્યાં છે ! આ સમજે અને પાંસરો હંડ્યો તો કામ જ કાઢી નાખે !! એકાવનારી થઈ જવાય એવું આ વિજ્ઞાન છે ! લાખો અવતાર કપાઈ જશે !! આ વિજ્ઞાનથી તો રાગે ય ઊડી જાય ને દ્વેષે ય ઊડી જાય ને વીતરાગ થઈ જવાય. અગુરુલઘુ સ્વભાવનો થઈ જાય એટલે આ વિજ્ઞાનનો જેટલો લાભ ઉઠાવાય તેટલો ઓછો છે.
દાદાવાણી સર્જે તવા શાસ્ત્રો !!!
અને હું જે બોલું છું, એ તો જ્ઞાન છે. પણ જેની બુદ્ધિ જરા સમ્યફ થયેલી હોય, સમ્યક્ એટલે સારી સુગંધીવાળી, તો તરત મારું જ્ઞાન સમજાય એવું છે. જ્ઞાન બુદ્ધિથી સમજાય ખરું, પણ બુદ્ધિથી બોલી શકાય નહીં. બુદ્ધિથી આ વિજ્ઞાન બોલી શકાય નહીં. વિજ્ઞાન એટલે ચૈતન્ય જ્ઞાન જેવું. એની મેળે જ કામ કર્યા કરે.
ભૂલવાળું કેમ બોલાય ! જ્ઞાનમાં નીકળેલો એકેય શબ્દ ફેરવવો નથી પડયો. ૧૯૫૮થી નીકળ્યા છે પણ ફેરવવો નહિ પડ્યો. ફેરવવાનો વિચારે ય નથી આવ્યો.
ત્યાર પછી આપણે તાવી જોવું ને, પાછું ! આપણે તાવી તો જોઈએ ને કે કરેકટ છે કે કેમ છે ? આપણને શું અધિકાર ફોરકાસ્ટ કરવાનો ? પણ તાવી જોઈએ એટલે ખબર પડે.
અમારી વાણી, અમારું વર્તન અને વિનય મનોહર હોય, મનનું હરણ કરે એવું હોય. અમેરિકામાં તો અમને લોકો શું કહી જતા ? “સો બ્યુટીફુલ, સો બ્યુટીફુલ’ !
પ્રશ્નકર્તા : અમેરિકામાં કઈ ભાષા બોલતા તમે ! ગુજરાતી કે
“જગત ઉદય અવતાર, દેશના તે શ્રુતજ્ઞાન,
Dાવાદ જ્ઞાન-દાન, સર્વમાન્ય પરમાણ.”
જગતનો ઉદય સારો હોય ત્યારે ‘જ્ઞાની પુરુષ' પ્રગટ થઈ જાય અને એમની ‘દેશના' જ “શ્રુતજ્ઞાન’ છે. એમના એક જ વાક્યમાં શાસ્ત્રોનાં શાસ્ત્રો આખાં આવી જાય !
શાસ્ત્રમાં લખ્યું છે કે સત્ય બોલો. ત્યારે લોકો કહે છે કે, અમારાથી સત્ય બોલાતું નથી. માટે હવે કોઈ કળજુગી શાસ્ત્રો આપે