SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૦ વાણીનો સિદ્ધાંત વાણી હોયે ય નહીં. આ વાણી તો કરેક્ટ વાણી ! પ્રશ્નકર્તા ઃ નહીં, એમ નહીં. તમારું જે બેકગ્રાઉન્ડ, તમારો જે એ જમાનો, એમાં આ વસ્તુ હતી જ નહીં, અવકાશ જ ન હોતો. દાદાશ્રી : ના, કશું કર્યા વગર થયું. આ તો લાખો પુસ્તકો ઊભાં થાય આ વાણી પરથી. પ્રશ્નકર્તા : બરોબર છે, જે સ્વયંભૂ હોય છે ! એવી રીતે મેં જોયું, આ આખી વિધિને ચાર કલાક ઓછામાં ઓછા થાય છે. ચાર કલાક સતત રીતે આપણે જોઈએ છીએ. શિયાળો હોય, ચોમાસું હોય, ઊનાળો હોય, ૭૬ વર્ષની ઉંમરે, બીજું કોઈ ડીસ્ટર્બન્સ નથી આવતો ! દાદાશ્રી : એ નોંધપાત્ર વસ્તુ છે, નોંધપાત્ર ! ત્યારે જ લોકોનું કલ્યાણ થાય ને ! નહીં તો કલ્યાણ થાય નહીં ને ! પ્રશ્નકર્તા : અને આપની જે વાણી છે, એ અનુભવજન્ય છે. તો તે સામાને પછી ક્યા લેવલે સ્પર્શ કરે ? દાદાશ્રી : આ સામાને, એટલે આપણું જ્ઞાન લીધેલું હોય તેને તો એડજસ્ટ જ થઈ જાય અને પેલાને ય ઠંડક તો બહુ વળે, કે વાત સાચી છે. કારણ કે આત્મા છે ને એની પાસે. પ્રશ્નકર્તા : એ મૂળને સ્પર્શે છે અને જગાડે છે ત્યાંથી. દાદાશ્રી : સ્પર્ધા વગર રહે નહીં. તેથી લોકો હજુ જ્ઞાન લીધા વગર પુસ્તક લઈ જાય છે ને ! ‘બહુ અદ્ભુત, અદ્ભૂત' બોલે છે. શું આ વાત છે ! ત્યારે કહે, વાણી સ્પર્શી એને. ત્યાર વગર વાત અદ્ભૂત બોલે શી રીતે ? પ્રશ્નકર્તા : ના બોલાય, દાદા. મને ખુદને જ એ અનુભવ થયો’તો. દાદાશ્રી : હા, બરોબર છે. અને તમે તો લેખકો, સાહિત્યકારો કહેવાવ. તમને અનુભવ થાય, ત્યારે બીજા લોકોને કેવો થતો હશે ? અણસમજુ હોય ને, તેને વધારે થાય ઊલટું. ડખો નહીં ને ! વાણીનો સિદ્ધાંત પ્રશ્નકર્તા : હા, હા, બરાબર છે. અમે તો ડખો કરીએ અંદર. દાદાશ્રી : હા, તમે તો ડખો કરો. પેલા તો અણસમજુ, ડખો કરે જ નહીં ને ! એને વધારે ઠંડક વળી જાય તરત. જ્યારે ડખામાં તમે આટલું બધું શોધખોળ કરી કે, ‘અમને આવો અનુભવ થયો છે !’ ત્યારે એ વસ્તુમાં કેટલું તથ્ય હશે ?! ૨૩૧ આ બધુ તદ્દન સ્વતંત્ર, મૌલિક છે. બધું પ્યૉર છે. પ્રશ્નકર્તા : આ ચાલુ રૂઢી નથી. દાદાશ્રી : ના, ના. આ અમારો એકે એક શબ્દ મોક્ષે લઈ જશે. આ અનુભવ વાણી છે. પ્રેક્ટિકલ વાણી છે આ. પેલી જે વાણી છે તે ‘આમ કરો’ એમ કહે છે, એ જ્ઞાન છે. જ્ઞાનથી બીજી વસ્તુ દેખાડે છે એ. અને આ તો મને જે વસ્યું, એ કહું છું આ. એટલે સ્વાદ સાથે આવે. અનુભૂતિ કહેવાય. થાય ! સહજવાણીને ઓળખાય આમ... પ્રશ્નકર્તા : વાણી સહજ ક્યારે થાય ? દાદાશ્રી : વાણી જ્યારે ‘ટેપરેકર્ડ બોલે છે’ એમ થાય ત્યારે સહજ પ્રશ્નકર્તા : આપની તો સહજવાણી કહેવાય ને ! દાદાશ્રી : સહજ વસ્તુ એ તો, ‘બોલવું’ એનું નામ સહજ ના કહેવાય. કોઈ કહેશે, ‘હું બોલ્યો.’ એનું નામ સહજ ના કહેવાય. પ્રશ્નકર્તા : પણ આ તો ઓરિજિનલ ટેપરેકર્ડ છે ને ? દાદાશ્રી : હા, એટલે પેલો જાણતો નથી, એટલે કહેશે ‘હું બોલ્યો.’ એ સહજ ના કહેવાય, અસહજ થયો કહેવાય. પ્રશ્નકર્તા : બોલાણું એટલે સહજ. દાદાશ્રી : બોલાયું, પણ સહજ એટલે સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ
SR No.008876
Book TitleVani No Siddhanta Granth
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size91 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy