SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ વાણીનો સિદ્ધાંત ૨૧૭ ૨૧૬ વાણીનો સિદ્ધાંત જો તમારે મોક્ષે ના જવું હોય ને સંસારમાં રહેવું હોય તો અમે તમને ફૂલહાર ચઢાવીએ. માટે તમે જ નક્કી કરીને જે જોઈએ તે પસંદ કરજો. આવું સાચું કહેનાર કોઈ તમને નહીં મળે, કારણ કે અમને સહેજે ય ઘાટ નથી. ઘાટ વગરનો જ નગ્ન સત્ય કહી શકે, બીજા તો ઘાટમાં ને ઘાટમાં ‘બાપજી બાપજી' કરશે. બાકી આ કાદવમાં, પાછો ગંધાતા કાદવમાં કોણ હાથ ઘાલે ? પણ એ એક જીવ તરે ને, તો બીજા કેટલાંય જીવો બધાનું રાગે પડી જાય ! અને એનું કલ્યાણ થાય એવા ભાવ હોય. તે કલ્યાણ કરવા માટે જ અમે વઢીએ. નહીં તો આવું કોણ વઢે ? મગજ કોણ ખરાબ કરે ! આ તો સામાના કલ્યાણ માટે વઢવાનું. નહીં તો બાપ તો બાપ થવા સારું વઢે. સામાના હિત કરતા બાપ થવાની બહુ ભીખ હોય. બૈરીને ધણી ટૈડકાવતો હોય તો તે ધણીપણા માટે કરે ! અને ‘જ્ઞાની પુરુષ' સામાના કલ્યાણ માટે વઢે. આવી કડક વાણી અમને વીતરાગને ન હોય. પણ શું કરીએ ? એમના રોગને કાઢવા, ગજબની મહીં વીતરાગતા સાથે સંપૂર્ણ કરુણાભરી વાણી સરી પડે છે ! એમાં એમનો ય દોષ નથી. એમની ઈચ્છા તો મોક્ષ જ જવાની છે, પણ અણસમજણથી અવળું થાય છે. કાળ જ બહુ વિચિત્ર આવ્યો છે. તેની આંધીમાં બધાં લપટાયાં છે. તાપ-પ્રતાપ દાદાતો ! આ દાદા ઉપર તો એટલી બધી કૃપા છે કે કોઈથી ત્યાં એમની હાજરીમાં તો બોલાય જ નહીં. અમે ગાળો ભાંડીએ તો ય એનાથી સામું ના બોલાય. એટલે દાદા કેવી કપા લઈને આવ્યા છે. કેવી જાહોજલાલી લઈને આવ્યા છે. નહીં તો સામાને તો સહેજ તુંકારો કર્યો હોય ને તો વેષ થઈ પડે. પોલિસવાળાને બોલાવી લાવે કહેશે, ‘મારું અપમાન કર્યું.” અલ્યા, ‘તું છે કોણ કે તારા અપમાન કરવાનાં છે ? તું શેમાં છો ? મારે માન શું ને અપમાન શું ? પૂછડું આવે તો કૂદ, તારે ફાવે તેટલો !” આવું કહીએ એટલે એનું પાણી ઉતરી જાય ! કોણ બોલી શકે ? કેમ સામા નહીં થતા બાપજી ? વીતરાગ વાણીને કોઈ સામો ના થાય. હા, ગમે એવી ચપોડીએ તો ય વીતરાગ વાણી ! તમે ચપોડવા જાવ તો પોલીસવાળા બોલાવે ને પકડાવી દે. પ્રશ્નકર્તા : વીતરાગ વાણીને કોઈ સામો ના થાય ! દાદાશ્રી : કોઈ નામ એનું દે જ નહીં ને, વઢતા હોય તો ય. કેમ એટલા બધા બેઠા હતા, એમની રૂબરૂ ન હોતો બોલતો ? પણ લોકોએ મારો ગુનો ગણ્યો હશે ? ‘આ દાદા શું બોલ્યા ? આવું બોલાતું હશે ?” એવું કોઈ કરતા હશે ? પ્રશ્નકર્તા : ના, કોઈ નહીં. દાદાશ્રી : શબ્દો આ જે બોલાય છે ને, તે બહુ જોર કરે. કૈડશે રાતે. પાછો વીતરાગતાથી આપેલો. ખોટું લાગે નહીં, રીસ ચઢે નહીં. તમે કોઈને ‘અક્કલ વગરનો છું' કહેશો, તો એ પંદર વર્ષ સુધી તમારી જોડે બોલશે નહીં. માટે વીતરાગતા લાવો. બીજાને કંઈ કહેવાય જ નહીં ને ! અને કહે તો તે સાંભળે નહીં ને ! વીતરાગતાથી કહેવાય. વીતરાગ વચન એટલે સામાવાળીયાને ય પણ સ્વીકાર્ય હોય. એટલું વચનબળ ! સામાવાળીયો હોય તો ય સ્વીકાર્ય હોય અને તો જ માણસ ફરે. નહીં તો ફરે નહીં ને ! માણસ ફેરવવો મુશ્કેલ છે. પ્રકૃતિ ફેરવવી બહુ મુશ્કેલ. પ્રશ્નકર્તા : પણ નવેનવા આપની પાસે આવે તો ખારું લાગે જરા. દાદાનું જેને બહુ ફીટ ના થયું હોય કે દાદા પ્રત્યે જરા થોડું એ હોય, તેને દાદા બહુ કડક લાગે. દાદાશ્રી : અરે, બહુ કડક લાગે ! અમથો બેઠો હોય ને તો ય તાપ લાગે, અહીં બુદ્ધિતા બામતી ય બોબડી બંધ ! એક જણની ઑફિસમાં પાંચ-સાત જણને જ્ઞાન મળ્યું હશે. તે ત્યાં
SR No.008876
Book TitleVani No Siddhanta Granth
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size91 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy