________________
આપ્તવાણી-૨
ડાળને, થડને કે બીજા કોઇ મૂળિયાંને હાથ ના અડાડે. એક ધોરી મૂળિયામાં દવા દાબી દે તેનાથી સંસારવૃક્ષ ધીમે ધીમે એની મેળે જ સુકાઇ જાય. પછી ફરીથી નવું પાંદડું ના ફૂટે.
સંસાર એકદમ ઉદ્ધતાઇથી વાપરવાનો નથી પણ એની ખાતાવહી કરવાની છે. કયા કયા ખાતામાં ખોટ છે, ક્યા કયા ખાતામાં સંસારસુખ છે, એ પણ ખોળી કાઢવું પડેને ! વેપારમાં ખાતાવહી રાખે પણ સંસારમાં ખાતાવહી નથી રાખતા !
સતદેવ : સર : સતધર્મ સદેવ, સદ્ગુરુ અને સતૂધર્મ એ જે કહેવાય છે એ ખરેખર કોણ છે ?
સદેવ કોણ? સદેવ તે દેરાસરવાળા કે મંદિરવાળા નહીં, તમારી મહીં છે. તે મહીંવાળા સત્ પણ જયાં સુધી આ ‘મહીંવાળા’ સંતૃદેવ નથી મળ્યા ત્યાં સુધી દેરાસર કે મંદિરની મૂર્તિ એ સદેવ.
સદ્ગુરુ કોણ? છેલ્લા ગુરુ એ “જ્ઞાની પુરુષ’ જયારે ‘જ્ઞાની પુરુષ’ ના મળ્યા હોય ત્યાં સુધી જે કોઇ થોડા જપ-તપ આપે, કંઇક સમજણ પાડે એ સદ્ગુરુ અને આપણે અહીં ‘આ’ માર્ગમાં સત્વ, સદ્ગુરુ અને સધર્મ જુદું છે. સદેવ તે ‘મહીંવાળા’ જે સત્ છે તે જ. તે તરત જ ફળ આપે, રોકડું આપે, ઉધાર-બુધાર નહીં. આખી જિંદગી ધરમ કર્યા છે પણ ઠંડક ના થાય ને કાળજું ટાઢું ના થાય. મહીં ઊકળતું ને ઊકળતું જ રહે. અને આ અહીં તો વાત જ જુદી છે, જેટલું પીતાં આવડયું એટલો લાભ થાય.
ધર્મ તો બહુ ભેગા થાય પણ જ્ઞાની ભેગા ના થાય ! ને ત્યાં સુધી છુટકારો પામે નહીં, ભટક ભટક કરવાનું ત્યાં સુધી. સધર્મ, સદ્ગુરુ ના મળે ત્યાં સુધી સદેવ હાજર ના થાય, ને ત્યાં સુધી કષાયો કરડયા કરે મહીં.