SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ આપ્તવાણી-૨ ૩૩ આપ્તવાણી-૨ થાય. આમ જ અનંત અવતારથી ભટકામણ ચાલી છે ! પણ જો સ્વરૂપનું જ્ઞાન મળે તો મુક્તિ મળે. પણ તે ‘જ્ઞાની પુરુષ' મળે ને બધાં પાપોને તે ભસ્મીભૂત કરી આપે ત્યાર પછી શુદ્ધ બનાવે ત્યારે જ ‘હું શુદ્ધાત્મા છું', એમ બોલાય, એમને એમ ‘હું શુદ્ધાત્મા છું', એ શુદ્ધાત્મા થયા વગર ના બોલાય. એ તો શબ્દજ્ઞાન કહેવાય, એનો ઊલટાનો દોષ બેસે. અનંત અવતારનું સરવૈયું આ છે ! છતાં અનુભવ નકામાં નથી જતા, તે તો કયારેક કામ આવે. એક વખત ખાડામાં પડયા તે પછી ખાડો આવે તો એ અનુભવ તરત જ ચેતવણી આપે. અનુભવ તો ઉપદેશ આપીને જાય. “શું શાક લાવી છે ?” તેમનાં પત્નીએ કહ્યું : “ભીંડા.” ભાઇબંધ : “શા ભાવે લાવી છો ?” પત્ની : “બાર આને લિોના ભાવનું.” ભાઇબંધ : “આટલું મોંઘું તે શાક લવાય ? તને કંઇ અક્કલબક્કલ છે કે નહીં ?' હવે આ મારા સાંભળવામાં આવ્યું. મેં તેમને કહ્યું, “કેમ આ માથા પર બે મણ વજન લઇને ફરો છો ? તમારું મોટું દિવેલ પીધા જેવું દેખાય છે ! એમ શા માટે ? બાર આનાનું શાક લીધું તેનો સંસારી બોજો સંસારરૂપી ઘોડા પર મૂકવાનો હોય. એને માથે લેશો તો ય ઘોડા પર જ જાય છે. આપણે સાથે લેવાનો ના હોય. આ આપણે માથે લઇએ તેથી આપણું મોટું દિવેલ પીધા જેવું ને ઘોડાનું મોટું ય દિવેલ પીધેલા જેવું દેખાય છે.” આંમાથી તો કામ કાઢીને મોક્ષે જવાનું છે. આ દેહ જ ‘આપણો’ થાય નહીં. તો બીજાં આપણાં શા કામનાં થશે ? આ દેહ જો ‘જ્ઞાની’ ના કામમાં આવ્યો તો સગો છે, ને સંસારના કામમાં ગયો એ દગો છે. આ બધાં દેહનાં સગાં છે. આત્માનો કોઇ સગો નથી. આત્માને સગો હોય નહીં. માટે આ વાત સમજી લેવાની છે. ‘વીતરાગો’ સમજીને બેઠેલા કે આમાં ‘આપણું કામ નહીં. એમને આ દગો-બગો પસંદ નહીં. આપણે પણ એ પૂરેપૂરું સમજીને આપણું કામ કાઢી લેવાનું છે. જગત છ તત્ત્વોમાંથી ઊભું થયું છે. સંસાર એ છ તત્ત્વોનું પ્રદર્શન છે ! અને એ તત્ત્વોનુ નિરંતર પરિવર્તન થયા કરે છે અને એ તત્ત્વોનાં મિલન થવાથી સંસાર છે. તત્ત્વો ‘સત્’ સ્વરૂપે છે. ‘સત્’ એટલે ગુણ અને અવસ્થા સાથે હોય તે આ દેખાય છે એ વિભાવિક અવસ્થાઓ છે, પ્રાકૃત અવસ્થાઓ ઊભી થઇ છે. આ વિભાવિક અવસ્થામાં ભ્રાંતિ ઊભી થઇ તે આ ‘હું છું.' એથી આ બધું ઊભું રહ્યું છે. બીજું કશું જ બગડયું નથી. તત્ત્વોના મિલનથી ઊભું થયું છે. જડ અને ચેતનનાં સંયોગ સંબંધ માત્રથી ચાલે છે, જડ અને ચેતન મિલ્ચર સ્વરૂપે છે, કમ્પાઉન્ડ સ્વરૂપે નથી થયાં. એક મિયાંભાઇ હતા. તે તેમના ટટ્ટ ઉપર બેસીને જતા હતા. મિયાંભાઇ વજનદાર ને ટટ્ટ નાનું ને ઢીલું, તે બિચારાની ભારથી કેડ વળી જાય. આમને આમ ચાલ્યા જતા હતા ત્યાં રસ્તામાં એક ખાનસાબ મળ્યા. તે મિયાંભાઇ ને કહે કે આ લીલું ઘાસ છે તે તમારા ઘોડા માટે લઇ જાવને ! તે મિયાં લલચાયા કે મફતમાં એક મણ ઘાસ મળે છે ! પણ પાછું થયું કે ઘોડો આ ભાર શી રીતે ઊંચકશે ? પણ મિયાં કાચી સમજણના, તે તેમણે મનમાં નક્કી કર્યું કે ઘાસ મારા પોતાના માથે મૂકીશ તો ઓછું તેને ઊંચકવું પડશે ! તે મિયાં તો ઘાસનો ભારો માથે મૂકીને ટટ્ટુ પર બેસીને જવા લાગ્યા ! રસ્તામાં એક વાણિયાએ આ જોયું ને એણે મિયાંને કહ્યું કે, ‘મિયાંજી, ભારો તારા માથે ઊંચકયો છે. પણ વજન તો ઘોડા ઉપર જ જાય છે, તેથી તમારા બેઉના મોઢાં દિવેલ પીધેલાં જેવાં દેખાય છે !' સંસાર એ ઘોડા જેવો છે. સંસારીઓ ઘોડા ઉપર બેઠેલા મિયાં જેવા બોજો માથે કે ઘોડા પર ? એક વખત હું મારા ભાઇબંધને ઘેર અચાનક ગયેલો. તે તેમનાં વહુ જોડે વાતચીત કરતા હતા. મારા ભાઇબંધે એમની વહુને પૂછ્યું,
SR No.008829
Book TitleAptavani 07
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year1997
Total Pages256
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size98 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy