SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ RTO આગમ - ૨૪ થી ૩૩ ચરણાનુયોગમય દસ પ્રકીર્ણક - ૨૪ થી ૩૩ પ્રકીર્ણક દેવેન્દ્રસ્તવ ક્રમ 1. ૨. 3. ૪. ૫. ૬. 9. .. ૯. ૧૦. A ૧૦. B ગચ્છાચાર તંદુલ વૈચારિક ચંદાવિજય ગણિવિદ્યા મરણસમાધિ આતુર પ્રત્યાખ્યાન મહાપ્રત્યાખ્યાન સંસ્તારક ચતુરશરણ ભક્તપરિજ્ઞા ગાયા ૩૦૭ ૧૩૮ ૧૩૭ ર ૬ ૬ ૩ 9. ૧૪૭ ૧૨૩ ૬૩ ૧૭૨ ૧૩૭ સરળ ગુજરાતી ભાવાર્થ 出版 出版 ૧. દેવેન્દ્રસ્તવ પ્રકીર્ણક - આમાં જિનવંદના પછી પતિ પત્ની દ્વારા ભગવાન મહાવીરની સ્તુતિ અને ૩૨ ઈન્દ્રો વિષે છ પ્રશ્નોના ઉત્તરો છે. ૨૦ ભવનેદ્રો અને ૧૨ દેવેન્દ્રોની સ્થિતિ તેમજ અધિકાર, ભવનો તથા વિમાનોની લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ વગેરે, અવધિજ્ઞાનનું ક્ષેત્ર તેમજ ભવનપતિદેવોનું વર્ણન છે. તે પછી આઠ વ્યંતર દેવો અને પાંચ જ્યોતિષી દેવો તથા દેવલોક, ત્રૈવેયક અનુત્તર દેવો વગેરેની સ્થિતિ, વિમાનો વગેરેના ઉપર પ્રમાણે વર્ણન છે. વળી દેવતાઓમાં લેશ્યા, એની અવગાહનાં, ગંધ વગેરે વર્ણનના અંતે ઈષપ્રાગ્ભારાના વર્ણનમાં સિદ્ધોનું વર્ણન છે. ૨. તંદુલ વૈચારિક પ્રકીર્ણક - આમાં ભગવાન મહાવીરની વંદના પછી ૧૦૦ વર્ષની આયુવાળાના ૧૦ વિભાગો, ગર્ભસ્થ જીવોના દિવસ-રાત, મુહૂર્ત વગેરે, તિર્યંચોના ઉત્કૃષ્ટ ગર્ભસ્થિતિ કાળ, ગર્ભસ્થ જીવની નરકગતિ વગેરે, ગર્ભાવસ્થા, ત્રણ પ્રકારે પ્રસવ, ગર્ભસ્થ જીવની ૧૦ દશાઓ, અનુક્રમે (૧) બાળદશા, (૨) ક્રીડા દશા, (૩) મંદા દશા (૪) બલા દશા (૫) પ્રજ્ઞા દશા (૬) હાયની દશા (૭) પ્રપંચા દરા (૮) પ્રાગ્ધારા દશા, (૯) ઉન્મુખી દશા અને (૧૦) શાયની દશા – નું વર્ણન, ધર્માચરણ અને અપ્રમાદના ઉપદેશો, અંગોપાંગનું પ્રમાણ વગેરે વર્ણન કરીને અંતે ધર્મનું ફળ બતાવ્યું છે. ૩. ચંદાવિજય અધ્યયન – આ પ્રકીર્ણકમાં આરંભે સિદ્ધ ભગવંતો તેમજ અરિહંત પરમાત્માને નમસ્કાર કરીને વિનય વગેરે ને મોક્ષ માર્ગના દર્શક જિનાગમોના સાર તરીકે બતાવીને પછીની ગાયાઓમાં વિનયના ગુણો, આચાર્યના ગુણો, શિષ્યના ગુણો તેમજ તેની પરીક્ષા તેમજ, વિનયનિગ્રહ ગુણો અને તેના વિરોષ લાભો જ્ઞાન ગુણને ચારિત્રનો હેતુ જણાવી જ્ઞાન ગુણવિરો જ્ઞાન ગુણનો મહિમા બતાવીને સમ્યકક્રિયા અને ચારિત્ર શુદ્ધિ તેમજ તે પછીની ગાથાઓમાં મરણગુણ વિષયક વર્ણનમાં સમ્યક્ત્વ, ચારિત્રશુદ્ધિ અને સમ્યગ્ જ્ઞાનની પ્રશંસા કરીને અંતે બે ગાથાઓમાં ઉપરોક્ત ગુણોને આચારામાં મૂકવાથી મુક્તિ પદ મળે છે એમ ઉપસંહાર કર્યો છે. ૪. ગણિવિદ્યા પ્રકીર્ણક - આમાં તિથિ, નક્ષત્ર વગેરે નવ પ્રકારના બળ, તિથિઓના નામ, દીક્ષા વગેરેમાં ગ્રાહ્ય- નિષિદ્ધ તિથિઓ તેમજ જ્ઞાનવૃદ્ધિ, લોચ, ગણિ- વાચક પદ, સ્થિરકાર્ય -શીઘ્રકાર્ય સંપાદન, તપારંભ, મૃદુકાર્ય- સંઘકાર્ય વગેરે માટે શ્રેષ્ઠ નક્ષત્રોના વર્ણન પછી છાયા- મુહૂર્ત, ત્રણ પ્રકારના શુક્ત અને નિમિત્તના નિરૂપણને અંતે નવ બળોમાં ઉત્તરોત્તર બલવત્તાના વિધાનથી ઉપસંહાર કરવામાં આવ્યો છે. ૫. મરણસમાધિ પ્રકીર્ણક – આમાં મંગલાચરણ અને અભ્યઘત મરણના કથન પછી. ત્રણ પ્રકારની આરાધના, આહાર ગ્રહણ-અગ્રહણના છ કારણો, પંડિત-મરણ માટે ઉપદેશ, પાંચ સંક્લિષ્ટ ભાવનાઓનો ત્યાગ, આલોચના વગેરે ૧૪ પ્રકારના વિધિ, ઉપસ્થાપનાના ૧૦ સ્થાન, ૧૨ પ્રકારના તપનું આચરણ, નિત્યબોજી જ્ઞાનીની અધિક નિર્જરા, જ્ઞાનમહિમા, સંલેખનાના બે ભેદ, આલોચના વગેરેના વર્ણનને અંતે આ લોકમાં સર્વત્ર સર્વયોનિઓમાં જન્મ-મરણની વાતથી ઉપસંહાર કરવામાં આવ્યો છે. ૬. આતુર – પ્રત્યાખ્યાન પ્રકીર્ણક - આમાં બાલ પંડિત મરણની વ્યાખ્યા, દેશવિરતિ, પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત, ચાર રિક્ષાવ્રત, સંલેખના, જિનવંદના, ગણધર – વંદના, ૧૮ પાપોનો ત્યાગ, ત્રણ પ્રકારના મરણ, બોધિ-દુર્લભતા, બોધિ – સુલભતા વગેરે વર્ણન પછી મુક્ત થવાની યોગ્યતાનું વર્ણન છે. ૭. મહાપ્રત્યાખ્યાન પ્રકીર્ણક – આમાં અરિહંત, સિદ્ધ અને સંયતને વંદના, સર્વવિરતિ, ક્ષમાયાચના, પ્રતિક્રમણ, પંચમહાવ્રત રક્ષા, કર્મક્ષય, ચાર પ્રકારની આરાધના, ધીરઅધીરનું મૃત્યુ, જધન્ય-ઉત્કૃષ્ટ - સમ્યક્ આરાધનાનું ફળ વગેરે વર્ણવવામાં આવ્યાં છે. ૮. સંસ્તારક પ્રકીર્ણક - આમાં પ્રરાસ્ત-અપ્રાસ્ત, અનશન (સંસ્તારક), યથાર્થ અનશન, તેનો મહિમા, અનુમોદના, લાભો વગેરે બતાવીને ભૂતકાળમાં અનાન કરનારા મહાત્માઓનાં સંક્ષિપ્ત જીવનચરિત્ર વર્ણવીને, અનશનથી કર્મક્ષય, મોક્ષ વગેરે મહિમા બતાવ્યો છે. श्री आगमगुणमजूषा ४५ -->
SR No.008743
Book Title45 Agam no Sankshipta Bhavarth
Original Sutra AuthorN/A
AuthorGunsagarsuri
PublisherJina Goyam Guna Sarvoday Trust Mumbai
Publication Year1999
Total Pages59
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy