________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પૂ. પદ્મસાગરજી મહારાજ સાહેબને આચાર્ય પદ પ્રદાન કરવાના પ્રસંગે તેમના વ્યક્તિત્વ વિષેની પ્રશસ્તિનું સંકલન કરી પત્રિકા પ્રગટ કરવા વિચાર્યું છે, તે ઉચિત છે. અમદાવાદ, તા. ૪–૧૧–૭૬
કસ્તુરભાઈ લાલભાઈ
સુજ્ઞ વાચકો પ્રતિ
જ્ઞાન, સાધના અને પ્રભાવક વકૃતત્વકશલ્યને ત્રિવેણીસંગમ જેમના ઉન્નત વ્યક્તિત્વમાં દષ્ટિમાન થાય છે, તેવા ધર્મ આરાધક પૂ. પં. શ્રી પદ્મસાગરજી મહારાજના જીવન અંગે સૌકોઈને જિજ્ઞાસા થાય તે સ્વાભાવિક છે. તેથી તેમને કે પરિચય બહાર પાડવાને વિચાર કરેલ. આ ભાવનાને કાર્યાન્વિત કરવા તેમની સાથે ભક્તિપૂર્વક સંસર્ગ સાધી તેમના પૂર્વજીવનની માહિતી મેળવવા ઇચ્છા પ્રદર્શિત કરી, ત્યારે તેમણે ખૂબ જ સોમ્ય ભાવે, પોતાના સાધુજીવનની મર્યાદાને ઉલ્લેખ કરી, ગુરુઆજ્ઞાનુસાર, એ માટે અનિચ્છા વ્યક્ત કરી.
- તેથી અમારા પોતાના સંતોષ ખાતર, પૂ. મહારાજ સાહેબના ધર્મપ્રશંસક સંભાવિત સંગ્રહસ્થાના અનુમોદનાયુક્ત પ્રશસ્તિભાવ વ્યક્ત કરતી એક નાની સરખી પુસ્તિકા તૈયાર કરી પૂ. મહારાજશ્રીના આચાર્યપદ પ્રદાન પ્રસંગે પ્રગટ કરવાનું પ્રલોભન અમે ન રોકી શક્યા, તેથી આ પુસ્તિકા પ્રગટ કરી અને ધન્યતા અનુભવીએ છીએ.
આશા છે કે પૂ. મહારાજશ્રીના વાત્સલ્યસભર વ્યક્તિત્વનું યત્કિંચિત દર્શન કરાવવામાં આ પુસ્તિકા ઉપયોગી થશે.
સમાજના વિભિન્ન ક્ષેત્રના પ્રતિનિધિ તરીકે જે જે શ્રેષ્ઠીઓ તથા મોવડીઓના ઊર્મિભાવે આ પુસ્તિકા માટે મળ્યા છે, એ સૌ પ્રત્યે અમે આભારની લાગણી વ્યક્ત કરીએ છીએ.
પ્રકાશક
For Private And Personal Use Only