________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ત્યાગ
૮૫
ભવ્ય ભવનની ભેટ મળવા છતાં કારગીરના મુખપર કંઈ જ પ્રસન્નતાનો ભાવ ન ઊઠ્યો. કેમ ? તે જાણતો હતો કે ભવન બહારથી શોભાયમાન છે પણ અંદરનું કામ તો હલકું છે થોડા સમયમાં તે મકાન ધરાશાયી થઈ જશે.
જાહેરમાં રાજા તરફથી પ્રાપ્ત ભવ્ય ભવનની ભેટ મળવા પછી લોકલાવશ તેણે તેમાં રહેવા તો જવું પડ્યું. પરંતુ અંતરમાં દાહ અને ચિંતાથી તે વ્યથિત હતો. અન્યને છેતરવા જતાં પોતે જ છેતરાઈ ગયો હતો. માનસિક આઘાત તે જીરવી ન શક્યો. અને થોડા જ મહિનામાં તેણે ચિરવિદાય લીધી બે ચાર વર્ષમાં તે મકાન પણ તૂટી પડ્યું. તેનો પરિવાર અનાથ થઈ ગયો. આમ જેવી ‘‘કરણી તેવી ભરણી' કહેવત યથાર્થ છે. અન્ય ઠગે દુ:ખ હોય.”
એક વકીલે પોતાના અસીલ હત્યારાને સમજાવ્યો કે તને કોર્ટમાં કંઈ પણ પૂછવામાં આવે તો એક જ ઉત્તર આપવો ‘વૈ', તે સિવાયનું હું સંભાળી લઈશ. વકીલે તેને બચાવવા માટે પાંચ હજાર રૂપિયા ફી નક્કી કરી, તેમાં પાંચસો રૂપિયા અગાઉથી મેળવી લીધા.
કોર્ટમાં ન્યાધીશે પૂછ્યું તેણે ઉત્તર આપ્યો “”
જ્જ – અરે ! તું ગાંડો છું. હત્યારા-વૈ, વારંવાર એ જ “વૈ”
જે તેને ગાંડો ગણીને ગુનો માફ કર્યો. હત્યારો પણ વિચારમાં પડી ગયો કે :
मेरी फांसी स्पष्ट, जब इस "बै" ने टाल दी
नहीं मिटेगा कष्ट, क्या इस 'बै' से फीसका ? રાત્રે વકીલ હત્યારાને ઘેર બાકીની રકમ લેવા પહોંચી ગયો, અને રકમ માંગી, હત્યારાએ જવાબ આપ્યો, “બૈ” વકીલે કહ્યું અરે મૂર્ખ આ કંઈ કોર્ટ કચેરી નથી. અહીં તો બરાબર જવાબ આપ. છતાં હત્યારાએ એ જ પુનરાવર્તન કર્યું “બૈ” વકીલ નિરાશ થઈને પાછો વળ્યો. છળનું ફળ શીઘ જ મળી ગયું.
૧૩. ત્યાગ ત્યાગાનુરાગી મહાનુભાવો !
ભોગોના ક્ષણિક સુખમાં અત્યંત આકર્ષણ થાય છે. પણ તમે જાણો છો કે ભોગનું સુખ પણ ત્યાગ પર અવલંબિત છે ? તમે પ્રતિદિન
For Private And Personal Use Only