________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૩
ત્યાગી વૈરાગી પ્રામાણિક પ્રવકતા, અને ઉપદેશના સાચાં અધિકારી કે જેઓએ પ્રભુ મહાવીરનો સાચો મોક્ષમાર્ગ નિરંતર પ્રવાહિત હજારો વર્ષોથી રાખ્યો છે. તેઓ પાસે અભ્યાસ કરવાની નિરંતર સારી ટેવ પાડવી.
સર્વ પ્રકારના જ્ઞાનના પ્રકાશથી અજ્ઞાન તથા મોહનો ત્યાગ કરવાથી તથા રાગ-દ્વેષનો ક્ષય કરવાથી એવો મોક્ષ પ્રાપ્ત થાય છે કે જેમાં એકાંત સુખ અર્થાત્ અનંત સુખ છે. દુઃખ તો છે જ નહિ.
આ માર્ગમાં આગળ વધો, અને નિરંતર ઉન્નતિ કરતા રહો, જો મોક્ષ પામવાની પ્રબળ ઇચ્છા હશે તો તે જરૂર મળશે. ફક્ત આત્મા શું ? આત્માના સુખ શું ? આત્માના સુખો આત્માએ કઈ રીતે મેળવવા તેના ઉપાયો શું ? ક્રમશઃ પગથિયા શું ? આની પાકી સમજ મેળવો. એકવાર મોક્ષના સુખનો સાચો કંસેપ્ટ હૈયામાં બેસી ગયો પછી કયાંય ભરમાવાનું નહી આવે અને મોક્ષમાર્ગે ચડવું સહેલું બનશે.
For Private And Personal Use Only