________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જીવનને અરુણે દય
નાશ કરાવે છે. અહં નષ્ટ થાય તે જ જીવનને સાચે માર્ગ ખુલ્લે થાય. દયાળુતા – ઉદારતાના રક્ષણ માટે અહને દૂર કરવું જરૂરી છે.
અહં ઘણે બળવાન અને જિદ્દી છે. ઊંચે સુધી પહોંચનારા જ્ઞાનીઓને પણ તે છેડતો નથી. વાણી પૂર્ણતયા. નિર્દોષ જોઈએ. સામાના આત્માને વિવેકસમાધિ અપાવે એવી – સત્યં બ્રૂયાત પ્રિયં બ્રયાત–આત્માની વૃત્તિને શુદ્ધ કરવા અહંને પરિત્યાગ જરૂરી છે.
આચાર્યશ્રી કહે, હું એમ કહું કે જગતમાં બધાથી મહાન હું છું તે તમે કહો કે એવું કેમ શક્ય બને ? હું સિદ્ધ કરી બતાવું ?
તમને પૂછું: વિશ્વમાં સૌથી શ્રેષ્ઠ દેશ કે ? તે તમે શું કહેશે? ભારત જ ને! અને પૂછું કે તેમાં સૌથી સારે પ્રદેશ કર્યો ? તે શું તમે ગુજરાત નથી કહેવાના ? ગાંધી-હેમચંદ્રાચાર્ય જેવા જ્યાં થયા !
ગુજરાતમાં સુંદર – સારું શહેર કયું? તે તમે ભાવનગર જ કહેવાનાને ! તેમાં સુંદર? તે તમે કહેશે ટાઉનહોલ. તેમાં ઉત્તમ તે પ્રભુ સંબંધી પ્રવચન સંભળાવી રહેલ મને જ ગણુંને ! આ અંદર રહેલાં વિવિધ અહંનું પરિણામ છે, દરેક પોતાના અહંને દલીલથી સાબીત કરી શકે છે.
દયાના પાલનમાં પણ નમ્રતા જોઈએ. હું કઈ પર ઉપકાર નથી કરતે – મારા પર – સ્વયં પર ઉપકાર કરું છું
For Private And Personal Use Only