________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જીવનને અણેદય
સુખ મળવાનું હતું ? કાંટા પાથરીને ગુલાબના ફૂલની લહેજત કેવી રીતે મળે ?
દીવાસળી બીજાને સળગાવતાં પહેલાં પ્રથમ પોતે જ બળે છે. એવી જ રીતે પરનિંદા કરવાવાળો પ્રથમ પિતાના જ જીવનને સળગાવે છે.
ખેડૂત જ્યારે ખેતી કરે છે ત્યારે પ્રથમ ખેતરને સાફ કરે છે, જમીનને પચી બનાવી અનાજ વાવે છે, તેનું રક્ષણ કરે છે. આમ ઘણી મહેનત કર્યા પછી જ લાભ મળે છે. એવી જ રીતે આત્માની સાધના પણ ખેતી છે. આત્મામાં ધર્મનાં બી વાવવા માટે વિષય-કષાયની ગંદકી પ્રથમ શુદ્ધ વિચારેથી સાફ કરે પછી તપ-જપ કરશે તે મહેનત ફળશે.
સત્યવાદીની જગતમાં ઘણું પ્રસિદ્ધિ હોય છે. તે કદાચ ભૂલથી અસત્ય બેલી જાય તે પણ જગત તે તેને સત્ય જ માને પણ અસત્યવાદી કોઈ વાર મહાન સત્ય બોલી જાય તે પણ લોકો તેને અસત્ય જ માને છે.
અભિમાન આંતરવૈભવને લૂંટી લે છે. અભિમાનની કારણે નવા નવા દુમને ઊભા થાય છે.
વાસનાઓના ત્યાગથી જીવનમાં અદ્દભુત આનંદ પ્રાપ્ત થાય છે. સંતોષ થાય છે. આત્મામાં અપૂર્વ વિલાસ જાગે છે અને બ્રહ્મચર્યનું રક્ષણ થવાથી કોઈ દિવસ અકાળે મૃત્યુ થતું નથી. સદા નિરોગી અવસ્થા રહે છે. હંમેશાં યુવાવસ્થા પ્રાપ્ત થાય છે.
For Private And Personal Use Only