SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નિવેદન પરમ પૂજ્ય પ્રાતઃસ્મરણીય, શાંતમૂર્તિ આચાર્ય ભગવંતશ્રી કૈલાસસાગરસૂરીશ્વરજીના શિષ્ય પરમ પૂજ્ય આચાર્ય મહારાજશ્રી કલ્યાણસાગરસૂરીશ્વરજી મહારાજશ્રીના પ્રખર વ્યાખ્યાતા શિષ્યરત્ન આચાર્યશ્રી પદ્મસાગરસૂરીશ્વરજી મ. સા.ના વાલકેશ્વરના (મુંબઈ) ચાર્તુમાસમાં નિયમિત અપાતાં પ્રવચનમાંથી સારભૂત અવતરણ કરીને તેઓશ્રીના આજ્ઞાંકિત શિષ્ય મુનિશ્રી દેવન્દ્રસાગરજી મ. સા., મુનિશ્રી મંગલસાગરજી મ. સા., મુનિશ્રી નિર્મલસાગરજી મ. સાહેબે સંકલન કરેલ છે. પ્રવચનને લાભ આપ સહુને મળે એ શુભ આશયથી “જીવનને અરુણોદય ભાગ-ડ” નામથી તા. ૧-૧૧-૭૮ના રોજ પ્રકાશિત કરેલ. પૂજ્ય આચાર્ય દેવનાં પ્રવચનને લાભ બધાને મળે તે હેતુથી “જીવનને અરુણોદય ભાગ-૪” પ્રકાશિત કરતાં આનંદ થાય છે. આ પુસ્તકનું સુંદર છાપકામ બહુ ટૂંક સમયમાં કરી આપવા બદલ અમો ભગવતી પ્રિન્ટર્સના સંચાલકોને તેમ જ ડિઝાઇન બ્લેક ટૂંક સમયમાં કરી આપવા બદલ ગ્રાફિક ટુડિયેના સંચાલકોને અને ટાઈલ સુંદર રીતે છાપી આપવા બદલ સાધના પ્રિન્ટિંગ પ્રેસના સંચાલકોને આભાર માનીએ છીએ. આ પ્રકાશનમાં કદાચ કાંઈ ખલના રહી ગઈ હોય તથા. વિતરાગ પરમાત્માની આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ લખાયેલું હોય, તે બદલ અમે “મિચ્છામિ દુક્કડ' અપી શ્રીસંધની તથા સુજ્ઞ વાચકોની ક્ષમા યાચીએ છીએ. અમદાવાદ, ફાગણ સુદ ૩ તા. ૧-૩-૭૯ સંધસેવકે શાન્તિલાલ શાહ અમૃતલાલ શાહ For Private And Personal Use Only
SR No.008720
Book TitleJivan No Arunoday Part 4
Original Sutra AuthorN/A
AuthorDevendrasagar, Mangalsagar, Nirmalsagar
PublisherShantilal Mohanlal Shah
Publication Year1979
Total Pages84
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy