________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જીવનને અરુણાદય આંતરજગતમાં એથીયે અપાર સંપત્તિ છે. જિજ્ઞાસા અને રુચિ હોય તે તે પ્રાપ્ત થઈ શકે છે. ભગવાન મહાવીર પરમ દાની છે. એમણે અત્યંત કષ્ટો વેઠીને જે પ્રાપ્ત કર્યું તે તેમણે આપણને દાનમાં આપી દીધું છે. આત્માને જાણવાની અને જાણીને એ આત્માને પરમાત્મા બનાવવાને એસેસ એમણે આપણને મફતમાં આવે છે. આપણું સ્વયંની મૂછ દૂર કરવાની ચાવી એમણે બતાવી છે.
આપણે પણ જીવનમાં દાન અને પરેપકારને લાવવા રહે છે. હજારેને મારવાનું સહેલું છે, એકને બચાવવાનું કઠણ છે, એકનાં આંસુ લૂછવાનું કઠિન છે. તુલસીદાસજીએ કહ્યું છે :
પાની બાઢે નામે ઘરમેં બાઢે દામ; દોને હાથ ઉલચિયે,
યહિ સયાને કામ. નાવમાં પાણી ભરાય તે બચવા માટે ઉલેચતા રહેવું પડે છે તેમ તિજોરી ભરાઈ જાય તે પરોપકારાર્થે તેને ખાલી કરતા રહેવી જોઈએ. નહિતર એ ધન સારાયે પરિવારને ડુબાડનારું બને છે. ધનને દસમે ભાગ તે પરોપકારમાં વાપરે જ. સંગ્રહ કરે બસ નથી, વિવેક અને ઉદારતાપૂર્વક તે વાપરવું પણ જોઈએ.
For Private And Personal Use Only