________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જીવનને અરૂણેય
પપ
આત્મા
* પર પદાર્થો પર રાગ ન હોવો જોઈએ. આત્માના જે શાશ્વત પદાર્થ છે તેના પર રાગ હોવું જોઈએ. જેના પર રાગ રાખવાનો છે તેની ઉપર આપણે રાગ રાખતા નથી.
* દૂધપાકના તપેલામાં પડેલા ચમચા આખા પરિવારને દૂધપાક આપે છે પણ તેને કાંઈ સ્વાદ મળતું નથી, તેમ આપણે ઉપાશ્રયમાં ચમચા બનવાનું નથી, પરંતુ આત્માની અનુભૂતિ પ્રાપ્ત કરવાની છે.
* ઉપદેશ તો એક સરખે અપાય છે પણ સાંભળનાર પિતપોતાની મતિ પ્રમાણે ગ્રહણ કરે છે, પિતપિતાની બુદ્ધિ પ્રમાણે સમજે છે. જે સાચી રીતે ઉપદેશ ગ્રહણ કરે તો જ આત્માની પ્રગતિ થાય છે.
* વિષય-કષા, રાગદ્વેષની એક પણ કણી આત્મામાં ન રહે ત્યારે જ આત્મા પરિપૂર્ણ વિશુદ્ધ કહેવાય છે અને તેવા આત્માઓ ફરી સંસારમાં આવતા નથી.
* આ જગતમાં પદાર્થો ઉત્પન્ન થાય છે, નાશ પણ થાય છે અને મૂળ રૂપે તે જગતનાં સર્વ પદાથે સ્થિર છે. જેમ કે માણસનો જન્મ થાય તે ઉત્પત્તિ કહેવાય, મરી ગ તે નાશ અને મૂળ સ્વરૂપે રહેલો આત્મા તે અમર જ છે. તે કદી મરતો નથી. આત્મા સ્થિર છે એવી જ રીતે સર્વ પદાર્થોને ગણવા.
For Private And Personal Use Only