________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચિંતનની કેડી
અજ્ઞાનથી આપણે માનીએ છીએ કે શરીર એ જીવ છે. પરતુ શરીર જીવ નથી. જે જીવ છે, જે આત્મા છે તે બીજો જ છે. અને આ બીજે જે છે તે તેનાં મૂળ સ્વરૂપે પરમાત્મા છે.
આત્મામાં પરમાત્મા ગોપિત છે. વિવિધ કર્મોનાં આવરણ હેઠળ આત્મા ઢંકાઈ ગયો છે. તેનું અસલી રૂપ દષ્ટિગોચર નથી થતું.
જીવન મળ્યું છે તે આ અસલી સ્વરૂપને પામવા માટે. આથી શરીરને આત્મા ન માનો. શરીરની વૃત્તિઓ અને વ્યાપારને આત્માનાં સ્વભાવ ન સમજે.
વિવિધ કર્મોનાં આવરણને હટાવો અને તમને આત્માના સત્ય, સૌન્દર્યના દર્શન થશે. તેને, તમામ દુઃખ અને વેદનાઓને દૂર કરતે, એક અવર્ણનિય આનંદનો અનુભવ થશે.
૧૨૬
For Private And Personal Use Only